ગુજરાતમાં વિકાસની વાતોમાં ટુરિઝમમાં ઢગલો પૈસા ખરજતી અને સફેદ રણની દુહાઈ દેતી સરકારને આ અગરિયાનું દર્દ કેમ નથે દેખાતું તે જ નવાઈ ભરેલી વાત છે.
આજથી 12 -14 વર્ષ પહેલાં સરકારે ટાંકીઓ આપી હતી
જુની પદ્ધતિથી રાખવું પડ્યુ રહ્યું છે પાણી
સરકાર પાસે બજેટ છે પણ એમણે તૈયારી ન બતાવી
ગુજરાતમાં છેવાડાના માણસો એટલે અગરિયા. રાત-દિવસ એક કરીને હાડગાળીને લોકોના મોઢામાં સ્વાદ લાવવા મીઠુ પકવનાર અગરિયાઓની હાલત હાલ ખરેખર ખરાબ છે. હાલ વેરાન રણમાં આ લોકો આદિકાળથી ચાલી આવતી પરંપરા અનુસાર રણમાં ખાટલાને પ્લાસ્ટિક બાંધીને તુટેલી જમીનમાં અંદરની અડધી ટાંકામાં કે પ્લાસ્ટિક પાથરી ખાડામાં પાણી ભરવું પડી રહ્યું છે.
આજથી 12 -14 વર્ષ પહેલાં સરકારે ટાંકીઓ આપી હતી
અગરિયાઓ પાસે એક 500 લિટરની, એક 200 લિટરની ટાંકી હોય છે અને પછી વધુ પાણી ક્યાં સ્ટોર કરવું એ પ્રશ્ન બની જાય છે. આજથી 12 -14 વર્ષ પહેલાં સરકારે ટાંકીઓ આપી હતી એ હવે તૂટી જવા પામી છે. વાસ્મોને નવી ટાંકીઓ બાબતે અરજી કરાઈ હતી. સરકાર પાસે બજેટ છે પણ એમણે તૈયારી ન બતાવી. જ્યારે જિલ્લા સ્તરથી આ ડિમાન્ડ ગાંધીનગર પહોંચી અને વાસ્મોએ ના પાડતા અગરિયોની સ્થિતિ કફોડી બની છે.