આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હવેથી ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ધો. 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે.
RTE હેઠળ નિયમ મુજબ સુધારો કરવામાં આવ્યો
જે વિધાર્થી નાપાસ થાય તેને બે મહિનાનો સમય આપવામાં આવશે
ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે
આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, હવેથી ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ધો. 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે. પત્રકાર પરિષદ યોજીને આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અગત્યની જાહેરાત કરી હતી.
શિક્ષણમંત્રીએ શિક્ષણનીતિ માટે મંગાવ્યા હતા સૂચનો
ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સ કરતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે દેશની આઝાદી પછી 1968માં પ્રથમ વખત શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી વખત 1986માં બનાવવામાં આવી હતી. ત્રણ દાયકા પછી NDA સરકારે નવી શિક્ષા નીતિ બનાવવાની જાહેર કર્યા બાદ દેશમાં દરેક રાજ્યોને શિક્ષણવિદો તથા જાણકારો પાસેથી સૂચનો મંગાવ્યા હતાં.
અગાઉ આ વિશે કરાઈ હતી ચર્ચા- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ગુજરાતમાંથી શિક્ષણ વિભાગ તરફથી બંને સચિવોને સાથે રાખીને 21મી જુલાઈના રોજ મીટિંગ કરીને શિક્ષણવિદો, પ્રિન્સિપલ્સ, નિવૃત શિક્ષકો, વાઈસ ચાન્સેલર્સ તથા શિક્ષકો સાથે આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખુદ મુખ્યમંત્રી પણ હાજર હતાં. આ પ્રકારની જ બીજી મીટિંગ પણ 10 ઓગસ્ટે થઈ હતી. જેમાં આવેલા સૂચનોને આધારે આ મુદ્દે ચર્ચા હતી. અમે દિલ્હીમાં ગુજરાત તરફથી સૂચનો રજૂ કર્યા હતાં.
RTE હેઠળ નિયમ મુજબ સુધારો કરવામાં આવ્યો
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આ સુધારો કરવામાં આવ્યો છે. બાળકોના ભવિષ્યને લઈને અને શિક્ષકો દ્વારા પુરતુ અને યોગ્ય શિક્ષણ આપવામાં આવે એના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
UPA સરકારમાં નાપાસ ન કરવાની જોગવાઈ હતી.
UPA સરકારમા નપાસ ન કરવાની જોગવાય કરી હતી. આ નિયમ માટે શિક્ષક પર અસર પડી હતી જેને પગલે વાર્ષિક પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે.
2019-20થી થશે અમલ
શૈક્ષિણક વર્ષના અંતમાં ધો 5 અને 8ની વાર્ષિક પરીક્ષા યોજાશે. જે વિધાર્થી નાપાસ થાય તેને બે મહિનાનો સમય આપવામાં આવશે. બે મહિના દરમિયાન વિધાર્થીને તૈયારીનો સમય આપવામાં આવશે
બાળકનુ શિક્ષણ પૂરુ ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી નહી મુકાય
બાળકનુ પ્રાથમિક શિક્ષણ પુરૂ ન થાય ત્યાં સુધી સ્કુલમાંથી કાઢવામા નહિ આવે. રાજ્યની તમામ ગ્રાન્ટેડ સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલમાં અમલ કરવાનો રહેશે. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલમાં અમલ કરવાનો રહેશે