કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ફરી મા કાર્ડની મુદત વધારાઇ
31 જુલાઇ 2021 સુધી વધારાઇ મુદત
તાજેતરમાં મળેલી રાજ્ય સરકારની બેઠકમાં કોરોના કાળ હોવાથી રૂપાણી સરકારે મા કાર્ડની મુદતમાં ફરી વધારો કર્યો છે. હવે મા કાર્ડની મુદત આગામી 31 જુલાઇ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત
આ અંગે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોય છે. જેથી આવકના દાખલા કઢાવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે.
આગામી 31 જુલાઈ 2021 સુધી મુદત લંબાવાઈ
જેથી નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાયરૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
જાણો મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ વિશેની તમામ માહિતી
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે, તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,955 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,93,028 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 351 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 14,724 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,58,797 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 108 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 79 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 99 કેસ, જ્યારે ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 32 કેસ અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે.