નવા કાયદાથી હોસ્પિટલની મનમાની નહી ચાલે. હોસ્પિટલોએ ટ્રીટમેન્ટ, દવાના ભાવનું લીસ્ટ મુકવું પડશે એટલું જ નહીં લોકોને દેખાય તે રીતે હોસ્પિટલમાં સુવિધા જાહેર કરવી પડશે. માનવીય ભૂલમાં મોત માટે ડોક્ટર જવાબદાર રહેશે.
ગુજરાત સરકાર નવો કાયદો લાવી રહી
દર્દી અને સગા સાથે હોસ્પિટલે યોગ્ય વહેવાર કરવો પડશે. નિયમનું ઉલંઘન કરનારનું લાઇસન્સ રદ થશે. ફાયર સેફ્ટી મુદ્દે સરકાર કડક નિર્ણય લાવશે. શ્રેય હોસ્પિટલમાં આગ બાદ હાઇકોર્ટ કરી હતી લાલ આંખ કરી છે. કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર નવો કાયદો લાવી રહી છે.
નવો કાયદો ઘણો ફાયદાકાર
અગાઉ ઘણીવાર હોસ્પિટલોની બેદરકારીને કારણે ઘણા દર્દીઓએ પોતાના જીવ ગુમાવવા પડે છે અને ઘણીવાર તેમને હાની પહોંચી છે વળી સારવારના પણ ઘણીવાર મોં માંગ્યા રૂપિયા વસૂલવામાં આવે છે ત્યારે હવે નવો કાયદો ઘણો ફાયદાકાર છે.