ગુજરાતમાં હવે પીવાનું પાણી મોંઘુ થવા જઇ રહ્યું છે. માત્ર પીવાનું પાણી જ નહીં, પરંતુ ઉદ્યોગો અને ખેતી માટેના વપરાશનું પાણી પણ મોંઘુ થઇ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારે નર્મદાથી પુરુ પડતા પાણીના દર વધાર્યા છે. જેને લઇને આગામી વર્ષથી પાણીમાં ભાવ વધારો થવા જઇ રહ્યો છે.
આગામી માર્ચ 2021થી પાણીના ભાવમાં થશે વધારો
પીવાનું પાણી, ઉદ્યોગ વપરાશન અને ખેતીનું પાણી મોંઘુ થશે
પીવાના પાણીમાં રાજ્ય સરકારે 0.38 પૈસાનો વધારો કર્યો
માર્ચ મહિનાથી પીવાનું પાણી, ઉદ્યોગ વપરાશનું અને ખેતીનું પાણી મોંઘુ થશે. આગામી વર્ષના માર્ચ મહિનાથી પીવાનું પાણી 1000 લિટરે 0.38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટે 1000 લિટરે 3.13 રૂપિયાનો વધારો થશે. જેથી હવે પીવાનું 1000 લીટર પાણી 3.80 રુપિયામાં પડશે. ઉદ્યોગોને 1000 લીટર પાણી 32.38 રુપિયામાં પડશે.
તો બીજી તરફ સિંસાઇ માટે પણ નર્મદાનું પાણી ખેડૂતોને મોંઘુ મળશે. નર્મદા થકી સિંસાઇ, પીવા અને ઉદ્યોગના પાણીમાં વધારો કરાયો છે. રાજ્યમાં 80 ટકા વસ્તીને નર્મદા પીવાનું પાણી પુરુ પાડે છે. નર્મદાના પાણીમાં દર વર્ષે વધારાનું પ્રાવધાન છે. સ્થાનિક પાલિકા અને પંચાયત દર વધારશે તો પાણી મોંઘું બનશે. રાજ્યની 40 ટકા સિંસાઇમાં નર્મદાના પાણીનો ઉપયોગ થાય છે. રાજ્યના સેંકડો ઉદ્યોગોમાં નર્મદાના પીણીનો વપરાશ થાય છે. તેથી પાણીના ભાવ વધારાથી સરકારની તિજોરીને ફાયદો થશે.
મહત્વનું છે કે, નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. રાજ્યમાં વર્ષ 2006-07માં પ્રથમ વખત પાણીના ભાવ નક્કી કરાયા હતા. તે સમયે પીવાના પાણી માટે 1 રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. વર્ષ 2014-15માં 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા ભાવ થયો હતો.