રાજ્યના સરકારીના કર્મચારીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર કર્મચારીઓને 10 દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને વિપશ્યના યોગ માટે આ રજા મળશે.
વિપશ્યના યોગ માટે સરકાર કર્મચારીઓને રજા આપશે
વિપશ્યના યોગ તાલીમ 10 દિવસની 'ઓન ડ્યૂટી લિવ' મળશે
વિપશ્યના યોગથી કાર્યમાં સુધાર થવાની સરકારને આશા
વિપશ્યના યોગ તાલીમ માટે 10 દિવસની 'ઓન ડ્યૂટી લિવ' મળશે. વિપશ્યના યોગથી કાર્યમાં સુધાર થવાનો સરકારે આશાવાદ વ્યકત કર્યો છે. યોગ શિબિરમાં કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ શકશે. આ યોગ શિબિરમાં જવા ઈચ્છે તેમને રજા આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે તે વિભાગના અધિકારીની કર્મચારીએ મંજૂરી લેવી પડશે. તાલીમ લીધા બાદ કર્મચારીએ તાલીમનુ સર્ટીફિકેટ રજૂ કરવુ પડશે. જો અધવચ્ચેથી તાલીમ છોડી દેનારને રજાનો લાભ નહીં મળે.
2020ની રાજ્ય સરકારની રજાઓની યાદી
મહત્વનું છે કે, ગુજરાત સરકાર દ્વારા બે મહિના અગાઉ 2020ની સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. જેમાં પાંચ રજાઓ રવિવારને દિવસે આવે છે. ફરજિયાત રજા 22 છે જ્યારે મરજિયાત રજા 46 છે જેમાંથી 5 રજાઓતો રવિવારને દિવસે આવે છે. બેંકમાં 16 રજા હશે. બેંક, રાજ્યની હિસાબી કચરી અને હિસાબોને લગકતા કાર્યાલયોને 1 લી એપ્રિલને બુધવારે વાર્ષિક હિસાબો માટે રજા આપવામાં આવશે.