ગુજરાત સરકારે ગૌશાળા અને પાંજરાપોળોમાં રખાતા પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગૌશાળાઓને સરકાર વધુ 3 મહિનાની સહાય આપશે. વધુ 3 મહિના સુધી પશુ દીઠ પ્રતિ દિન રૂપિયા 25ની સહાય આપવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ગૌશાળા સહાયની જાહેરાત
સરકાર ગૌશાળાઓને વધુ 3 મહિના સહાય આપશે
વધુ 3 મહિના પશુ દીઠ 25 રૂપિયા સબસીડી આપશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર ગ્રુપની બેઠક બાદ લેવાયા કેટલાક નિર્ણયો. આગામી ત્રણ મહિના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી આ સહાય ગૌશાળાને આપવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, નીતિન પટેલે કહ્યું કે, આગામી 3 મહીના માટે ગૌશાળાઓને પશુ દીઠ 25 રૂપિયા સબસીડી અપાશે. 3 મહિના સબસીડીનો ખર્ચ 100 કરોડનો અંદાજ છે. કલેક્ટરના સર્વે આધારિત સબસીડી અપાશે. પાંજરાપોળના સંચાલકો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે.
ખાનગી લેબોરેટરીમાં હવે 2500ની જગ્યાએ 1500 રૂપિયા ચાર્જ
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને નાગરિકોના હિતને ધ્યાનમાં લઇને ખાનગી લેબોરેટરીમાં થતા કોરોના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં 2500ની જગ્યાએ ટેસ્ટ માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા 2500 રૂપિયાનો કોરોના ટેસ્ટ માટે ચાર્જ લેવાતો હતો. તો હવે ઘરે આવીને ટેસ્ટ કરશે તો 2000 ચૂકવવા પડશે. જે અગાઉ 3000 હજાર ચાર્જ હતો. રોજ 70 હજાર લોકો ટેસ્ટ કરવામાં આવે છે.
નર્મદા ડેમ મુદ્દે DyCM નીતિન પટેલનુ નિવેદન
નીતિન પટેલે કહ્યું કે, સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ છે. ડેમમાં આત્યારે પાણીની આવક ચાલુ છે. પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે. ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે. પાણીની આવકના કરણે પાવર હાઉસ ચાલુ છે. કેનાલ મારફત નદીઓમાં પાણી અપાશે. ખાલી તળાવો હશે તેને ભરવામાં આવશે. સવારે ડેમ ભરાઈ જાય પછી ધાર્મિક રીતે વધામણાં કરાશે.