મહામારીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને બાનમાં લેવામાં આવી રહી છે. મહામારીમાં શાળા સંચાલકો ઓનલાઈન ભણતરના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હતી, પરંતુ હાઈકોર્ટે આદેશ કર્યા છે કે શાળા શરૂ ન થાય ત્યાં સુધી શાળા સંચાલકો ફી નહી લઇ શકે. આ જાહેરાત બાદ ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. ત્યારે હવે ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે.
ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્ય સરકાર એક્શનમાં
રાજ્ય સરકારની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત
રાજ્ય સરકાર ઓનલાઈન શિક્ષણ આપશેઃ શિક્ષણમંત્રી
રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. સરકારે કહ્યું કે, કેન્દ્રીય વિભાગોની માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈપણ શાળાઓ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં નાના બાળકો માટે રિશેષ સાથેના બે શેસન રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે માધ્યમિક માટે રિશેષ સાથેના ચાર શેસન રાખવા તાકીદ કરાઇ છે. શાળાઓએ પ્રીરેકોર્ડેડ મટીરીયલ મોકલવાનું રહેશે. 30થી 60 મિનિટ બાદ રીશેષ રાખવી ફરજિયાત રહેશે.
શિક્ષણમંત્રીએ મૌન તોડી આપ્યું મોટું નિવેદન
ખાનગી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં સરકાર એક્શનમાં આવી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, હવે ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે. ઓનલાઈન શિક્ષણ આપવા માટે સમિતિની રચના કરાઈ છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ સરકાર શિક્ષણ આપશે. આ અંગે શિક્ષણમંત્રી દ્વારા સૂચના કરવામાં આવી છે.
ઓનલાઈન શિક્ષણને સરકાર શિક્ષણ ન ગણતી હોય તો એવા શિક્ષણનો મતલબ શું છે?: ખાનગી શાળાઓ
મહામારીમાં પણ આ શાળાના સંચાલકો ખુબ જ વેપારી જેવું વ્યવહાર કરી રહ્યા છે અનેક મજબૂર લોકો પાસે ભારે ભારે ફી ઉઘરાવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ બંધ કરવા ખાનગી શાળાના મહામંડળે નિર્ણય કર્યો છે. ફી નહીં લેવાના હાઈકોર્ટ-સરકારના આદેશ પછી ખાનગી શાળાઓ બેફામ બની છે. ગુજરાતમાં ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગનો કાબૂ નથી કે શું તેવા અનેક પ્રકારના સવાલ ઉભા થયા છે. સરકાર-હાઈકોર્ટના આદેશ પછી ખાનગીશાળાઓ સરકારને દબાવી રહી છે. શાળાઓ ચલાવતા સંચાલકો માફિયાઓની જેમ કામ કરી રહ્યા છે. સરકારે કોઈ પરિપત્ર આપ્યો નથી અને ઓનલાઈન શિક્ષણને સરકાર શિક્ષણ ન ગણતી હોય તો એવા શિક્ષણનો મતલબ શું છે. હવે અમદાવાદ અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
આજથી ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ
આજથી ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ આજથી ઓનલાઇન શિક્ષણ આપશે નહીં. ગઈકાલે સંચાલક મંડળોએ જાહેરાત કરી છે. સ્કૂલ ફીને લઈને સંચાલક મંડળોએ નિર્ણય કર્યો છે. ગુજરાત શાળા સંચાલક મહામંડળે નિર્ણય લીધો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પણ નિર્ણય લીધો હતો. અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ફીને લઈને હાઈકોર્ટે નિર્ણય આપ્યો હતો.