રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં મોટી છૂટછાટો આપવામાં આવી છે, નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને પણ મંજૂરી અપાઈ છે
રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ જાહેરનામું પ્રસિદ્વ
8 મનપામાં કર્ફ્યુમાં ઘટાડો કરાયો
સ્પા સેન્ટર ખોલવાની અપાઇ મંજૂરી, સિનેમા હૉલ હાઉસફૂલ થઈ શકશે
દિવાળીના તહેવારો નજીક આવતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં દિવાળીના તેહવારોને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8 મનપામાં રાત્રી કર્ફ્યુમાં ઘટાડો, રાત્રે 12 વગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, 30 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ રહેશે. સિનામાહોલ 100 ક્ષમતા સાથે ખુલશે.
ગુજરાતના 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું છે.
ગુજરાતના 8 મહાનગરમાં રાત્રે ચાલી રહેલા કર્ફ્યૂમાં મોટી રાહત આપવાં આવી છે. દિવાળી તહેવારોને ધ્યાને રાખી સરકાર દ્વારા 8 મનપામાં કર્ફ્યુમાં ઘટાડો કરાયો છે હવે રાત્રે 12.00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે જે અગાઉ તહેવાર ટાણે ખુલ્લી રાખી શકાતી હતી. સાથે જ નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોનેપણ મંજૂરી આપી દેવામાં આવી છે જેથી બેસતા વર્ષ દરમિયાન 400 લોકો સુધી સ્નેહમિલન કાર્યક્રમો યોજવા પરમીશન આપી દેવામાં આવી છે.સાથે જ સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. લાંબા સમય બાદ સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લા રાખી શકાશે. પણ સ્પા માલિક સહિત કર્મચારીઓ તેમજ સ્પામાં આવનાર ગ્રાહકે કોરોના રસી લીધેલી હોવી ફરજિયાત રાખવામાં આવી છે. 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ રહેશે.
મહત્વની બાબતો
રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે
રાત્રિ કર્ફ્યૂનો સમય 1 થી સવારે 5 વાગ્યા સુધી
30 નવેમ્બર સુધી આ નિયમો લાગુ રહેશે
સિનેમા 100 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી
સ્પા સેન્ટરોને પણ ખોલવાની અપાઈ મંજૂરી
દિવાળી અને નવા વર્ષને લઈને સ્નેહમિલન કાર્યક્રમોમાં 400 લોકોને મંજૂરી