કોરોના અંગે થયેલી સુઓમુટો અરજીના મામલે ગુજરાત હાઇકોર્ટે કરેલા નિર્દેશો આપ્યા બાદ રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.
કોરોના અંગે થયેલી સુઓમુટો અરજીનો મામલો
ગુજરાત સરકારે ઓનલાઇન સોગંધનામુ કોર્ટમાં કર્યું ફાઇલ
રાજ્યમાં કોરોનાને નાથવા માટે સરકારે કરેલા પ્રયાસનો કર્યો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે રાજ્ય સરકાર એક્શન પ્લાન રજૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે,રાજ્ય સરકારે હાઈકોર્ટમાં 82 પેજનું સોગંદમનામું રજૂ કર્યું છે. આ સોગંધનામામાં સરકાર કોરોનાની સ્થિતિને પહોચી વળવા સક્ષમ હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ઓનલાઇન સોગંધનામુ કોર્ટમાં કર્યું ફાઇલ
ગુજરાત સરકારે ઓનલાઇન સોગંધનામુ કોર્ટમાં ફાઇલ કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને પહોંચી વળવા અમે સક્ષમ છીએ અને રાજ્યમાં જિલ્લા સ્તરે RT-PCR ટેસ્ટિંગ માટે માળખું ઉભું કર્યું. આ સાથે જ રાજ્યમા RTPCR ટેસ્ટ માટે 98 કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત છે. જેમાં 998 પૈકી 27 લેબ સરકારી અને 55 પ્રાઇવેટ લેબોરેટરી છે.
GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની વ્યવસ્થાની કરી વાત
આ સાથે સોગંધનામામાં વધુ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ અને મણીનગર વિસ્તારમાં પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ સરકારે પોતાના સોગંધનામાં કર્યો છે. આ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગમાં રોજ 2 થી 3 હજાર ટેસ્ટ થતા હોવાનો દાવો પણ કરેલો જોવા મળ્યો છે.
79,444 કોવિડનો કરાયો ઉલ્લેખ
રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને યોગ્ય સુવિધાઓ માટે સરકારે IAS અધિકારીઓને જવાબદારી સોંપી હોવાની વાત પણ રાજ્ય સરકારે સોગંધનામા કરી હતી.
900 બેડની કોવિડ કેર સેન્ટર ઉભુ કરવાની વાત આલેખી
તો અમદાવાદની ગુજરાત યુનિ. કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર સેન્ટર ઉભુ કરવાની વાત, સમરસ હોસ્પિટલમાં 500, નિકોલમાં 120 બેડની હોસ્પિટલ ઉભી કરવાની વાત સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે અલગથી વ્યવસ્થા શરૂ કરવાની વાત પણ સરકારે કરી છે.
કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ તૈયાર કરાયું
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિથી સતત અવગત થવા માટે રાજ્ય સરકાર કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ ઉભું કર્યું છે. આ ડેશ બોર્ડમાં કોરોના કેસ, મૃત્યુઆંક, રિકવર દર્દીઓના આંકડા જેવી તમામ બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. તો રાજ્યની યુનિ. સંચાલીત લેબોરેટરીમાં RT-PCRનું સરકારનું આયોજન હોવાનું સોગંધનામાં લખવામાં આવ્યું છે. રિયલ ટાઈમ બેડની ઉપલબ્ધતા બાબતે માહિતી મળે તે માટે આયોજન કરાયું હોવાની વાત પણ કરવામાં આવેલ છે.