રાજ્યમાં શિક્ષણના કથળી ગયેલા સ્તરને દુરસ્ત કરવા માટે સરકારને હવે કવાયત હાથ ધરવી પડી છે. બાળકોની હાજરી ઓનલાઈન કર્યા બાદ હવે શિક્ષકો અને સીઆરસી, બીઆરસીની કામગીરી પર વોચ રાખવા વ્યૂહ ઘડાઈ રહ્યો છે. શિક્ષણ પ્રક્રિયા અને તેના જવાબદારો પર નજર રાખવી પડે તે જ દર્શાવે છે કે સરકાર જ્ઞાનના વાહકો પર આંધળો વિશ્વાસ મૂકવા માગતી નથી. તો સરકાર કઈ રીતે શિક્ષકો અને અધિકારીઓ પર કરશે મોનિટરિંગ જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાં.
ઉલ્લેખનીય છે કે, હવે ઉનાળું વેકેશન પૂરું થવાની તૈયારી છે. એકાદ સપ્તાહ બાદ શાળાના પરિસરો ફરીવાર શૈક્ષણિક પ્રવૃત્તિથી ધમધમતા થઈ જશે. દિવસેને દિવસે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. અને શાળામાં નવો પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા પણ વધી રહી છે. શાળાકીય માળખાગત સુવિધાઓ પણ વધી રહી છે. સાથે સાથે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ તેમ છતાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. પ્રાથમિક શિક્ષણ પૂરું કરનારા અનેક બાળકોમાં પણ વાંચન અને ગણની ક્ષણતા વિકસી શકતી નથી. જે બાબત અને શાળાકીય મૂલ્યાંકનમા બહાર આવી છે. ત્યારે હવે નવા શૈક્ષણિક સત્રથી સરકારે રાજ્યની તમામ શાળાઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઓનલાઈન મોનિટરિંગ કરવાનું આયોજન કરી લીધું છે. જે માટે ગાંધીનગર ખાતે કમાન્ડ અને કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ બત્રીસ હજાર સાતસો પચાસ જેટલી સ્કૂલો આવેલી છે. જેમાં ગત વર્ષથી વિદ્યાર્થીઓની હાજરી પર ઓનલાઈન મોનિટરિંગ કરવાની સિસ્ટમ કાર્યરત છે. આ સ્કૂલોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ પર નજર રાખવા માટે બીઆરસી અને સીઆરસીની પણ નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી શિક્ષણનું સ્તર એવું કથળ્યું છે કે, સરકારને શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું છે.
આથી સરકારને હવે શૈક્ષણિક પ્રવૃત્તિનું પણ મોનિટરિંગ કરવા સિસ્ટમ ઊભી કરવી પડી છે. શૈક્ષણિક પ્રવૃત્તિનો ડે ટુ ડે નો રિપોર્ટ મેળવવા માટે ઊભી કરાયેલી આ સિસ્ટમ કેટલી કારગત નીવડશે તે તો વિદ્યાર્થીઓના પરિણામ પરથી ખબર પડશે પરંતુ સરકારી તંત્રએ મસમોટા ખર્ચે ભગીરથ આયોજન તો વિચારી જ રાખ્યું છે.
આમતો શિક્ષણ અને જ્ઞાનની પ્રવૃત્તિ સ્વતંત્ર માહોલ માગતી હોય છે. પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી શિક્ષણના થયેલા વ્યાપારીકરણ અને તેના પરિણામે શિક્ષણની સેવામાં પેઠેલા સડાએ બાળકોના ભવિષ્યની ખોર ખોદી છે અને શિક્ષણજગતના વાહકોને શંકાના ઘેરામાં ઊભા કરી દીધા છે.
ત્યારે સરકાર હવે શિક્ષણને લઈને પોતાની વધારે ફજેતી થાય તેવું ઈચ્છતી નથી. એટલે જ તો જ્ઞાનની વહેતી નદી પાછળ સરકારે ટેકનોલોજીનો જાસૂસ દોડતો કરવો પડયો છે. આ સિવાય પણ ઘણા વહીવટી કારણોએ પણ છે સરકારને શિક્ષણનું મોનિટશરગ કરવા મજબૂર કર્યા છે. સાંભળો રાવ સાહેબના મુખેથી
ગુજરાતની વિવિધ પ્રાથમિક શાળાઓમાં 2 લાખ શિક્ષકો ફરજ બજાવે છે. હવે કંટ્રોલ રૂમ દ્વારા દરરોજ શિક્ષકોની હાજરીનું અને શૈક્ષણિક પ્રવૃત્તિનું મોનીટરીંગ કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે, સરકારની આ તીસરી આંખ જેવી નવતર નજરથી શિક્ષણતંત્રમાં કેટલો સુધારો આવી શકે છે અને બાળકોને શિક્ષણ કેટલું પચી શકે છે.