ગુજરાત હાઈકોર્ટમાં મ્યૂકર્માઈકોસિસ અને કોરોના સારવાર અંગે HCમાં એફિડેવિટ રજૂ કર્યું, 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો
ગુજરાત HCમાં સુઓમોટોની અરજી મામલો
રા.સરકારનું ગુજરાત HCમાં એફિડેવિટ
કોરોના સારવાર અંગે HCમાં એફિડેવિટ
કોરોનાની મહામારીના કારણે હાઈકોર્ટમાં સુઓમોટોની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી..સરકારના વકીલે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. અને હાઈકોર્ટમાં 54 પાનાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.. સરકારે રજૂ કર્યુ છે કે, મ્યૂકરમાઇકોસિસ અને કોરોના સારવાર અંગે જવાબ રજૂ કર્યો છે. આશરે 65 પેનાના સોગંદનામામાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે.
મ્યૂકરમાઇકોસિસ માટેના ઇન્જેક્શનના જથ્થા બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે. અને કહ્યું છે કે, ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપે છે તેટલા જ રાજ્યોમાં મળી રહ્યા છે. હાલ કોરોનાની ગામમાં વધતા ટેસ્ટીંગની સુવિધા પણ વધારી હોવાની રજૂઆત કરી હતી. રસીકરણનું કામ ખુબ સારું અને ઝડપી ચાલી રહ્યું છે ત્યારે નારી સંરક્ષણગૃહ,બાળ સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમમાં કામ કરતા લોકોને રસી આપી છે. આ જવાબને લઈને આગામી સુનાવણી બુધવારે હાથ ધરાશે.
ગુજરાતમાં આ રીતે એમ્ફોટેરિસીન-B ઈન્જેક્શન મળશે
હવે સોલા અને અસારવા સિવિલમાં મ્યૂકરમાઇકોસીસની ટ્રીટમેન્ટના ઇન્જેક્શન મળશે. પહેલા દવા મેળવવા માટે અલગ અલગ જગ્યાએ જવુ પડતુ હતુ તેમ છતાં તેના ઇન્જેક્શન મળતા નહોતા પરંતુ હવે તમને અસારવા સિવીલ અને સોલા સિવિલમાં મળી રહેશે. જે દર્દીને મ્યૂકરમાઇકોસીસ હોય તેના સગાએ અસારવા કે સોલા સિવિલમાં પ્રિસ્ક્રિપ્શન અને તેના રિપોર્ટ લઇને જવાનું રહેશે. હજુ વધારે જાણકારી મળી નથી પરંતુ સેફ્ટી માટે આધારકાર્ડ કે ઇલેક્શન કાર્ડ સાથે લઇને જજો. વધુ માહીતી માટે વીટીવીની વૅબસાઇટ જોતા રહેજો.
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.