સીએમ રૂપાણીના નિવાસ સ્થાને કોરોના વાયરસ વેક્સિનેશનણે લઈને કોરકમિટીની બેઠક કરવામાં આવી હતી.
કોરકમિટિની બેઠકમાં નિર્ણય
વેપારીઓને ફરજિયાત વેક્સિનેશનની મુદતમાં 10 દિવસનો વધારો
વેપારીઓ અગાઉ એક માસની મુદત વધારવા કરી હતી માગણી
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. કોરોના વાયરસ સામેની લડતમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની સાથે સાથે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે મોટી જાહેરાતો સાથે કરેલા નિર્ણયમાં ફેરફાર કરવાની નોબત આવી છે.
વેપારીઓની વેક્શિનેશન માટેની સમય મર્યાદા વધી
સીએમ રૂપાણીના નિવાસ સ્થાને કોરોના વાયરસ વેક્સિનેશનણે લઈને કોરકમિટીની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં વેપારીઓના વેક્સિનેશન માટેની સમય મર્યાદા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના વેપારીઓને રસી લેવા માટે બીજા થોડા દિવસ આપવામાં આવ્યા છે, 10 જુલાઇ સુધી આ મર્યાદા વધારવામાં આવી છે.
CM નિવાસ સ્થાને મળેવી કોરકમિટિની બેઠકમાં નિર્ણય
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના રસીકરણને લઈને સરકારે થોડા દિવસ પહેલા ખૂબ જોરશોરથી નિયમો લાગુ કર્યા હતા. જેમાં વેપારીઓને કોરોના વેક્સિન લેવી ફરજિયાત કરી દેવામાં આવી હતી અને તે બાદ વેપારીઓમાં પણ આ મુદ્દે અસમંજસની સ્થિતિ હતી.
આજે વેપારીઓના વેક્સિનેશન માટેનો આખરી દિવસ હતો
ગુજરાતમાં કોરોના વાયરસ વેક્સિનને લઈને છેલ્લા બે દિવસથી કેટલાય સેન્ટર પર વેક્સિનનો જથ્થો ઓછો પડી રહ્યો હોવાની ફરિયાદો પણ સામે આવી રહી હતી ત્યારે આજે વેપારીઓને વેક્સિન લેવાનો છેલ્લો દિવસ હતો છતાં ઘણા બધા વેપારીઓને વેક્સિન લેવાની બાકી હતી. આ મુદ્દાને ધ્યાનમાં રાખતા હવે સરકારે વધારાના દસ દિવસ આપ્યા છે. જોકે વેપારીઓ અગાઉ એક માસની મુદત વધારવા માગણી કરી હતી. સરકારે 18 શહેરો માટે આ નિયમ લાગુ કર્યો છે.