ગુજરાતના પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું 74 વર્ષે કરમસદ ખાતે હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રોહિતભાઇ પટેલ મિલસન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પણ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ખાણખનીજ મંત્રીના નિધન પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
રાજ્યના પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રોહિતભાઇ 2014માં આણંદથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારમાં ખાણ-ખનીજ વિભાગના મંત્રી બનાવામાં આવ્યાં હતા. રોહિતભાઇ ત્રણ વર્ષ સુધી મંત્રીપદ રહ્યા રહ્યાં હતા.
પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલના અવસાનથી દુઃખ થયું. સામાજિક તથા ઔદ્યોગિક ક્ષેત્રે એમનું યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલના અવસાનથી દુ:ખ થયું. સામાજિક તથા ઔદ્યૌગિક ક્ષેત્રે એમનું યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...