પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. જેની સૌપ્રથમ ખબર VTVGujarati.com દ્વારા અપાઈ હતી. હવે આ મામલે ટાટા, અદાણી અને એસ્સાર ગ્રુપના પ્રશાંત રૂઈયાને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓને મળવા દોડવું પડ્યું હતું.
સૂત્રો અનુસાર રૂઈયા સીએમ રૂપાણીને અને CMO ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓને મળ્યાં હતાં અને આ મામલે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે એસ્સાર કંપની પાસે GUVNLની સાથે લાંબાગાળાનો 800 મેગાવોટ વીજળી માટેનો PPA (પાવર પરચેઝ એગ્રીમેન્ટ) છે અને હાલમાં વીજળી માટે એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ આ મામલો પેન્ડિંગ છે.
આમ હવે રાજ્ય સરકાર દ્વારા 2018માં જાહેર કરાયેલા GRને રદ્દ કર્યા બાદ એસ્સાર, અદાણી અને ટાટા જેવી વીજ કંપીઓએ GUVNLએ ઓછા ટૅરિફની આધારે તૈયારી કરાયેલી નવી ફોર્મ્યુલા મુજબ પૂરક PPA દાખલ કરવા પડશે.
VTVGujarati.com દ્વારા સૌ પ્રેથમ બ્રેક થઈ હતી ખબર
અત્રે ઉલ્લેખનીય છે કે પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ સૌપ્રથમ vtvgujarati.com દ્વારા આ અંગે Exclusive માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે VTVની ખબર પર મહોર લગાવી હતી.
શું હતો જૂનો કરાર
તા. ૧.૧૨.૨૦૧૮નો ઠરાવ રાજ્યમાં સ્થિત ત્રણ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ માટે હતો. જે અંતર્ગત ચાર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. તે અન્વયે કોસ્ટલ ગુજરાત પાવર લી. સાથેનો સપ્લીમેન્ટલ કરાર, હિસ્સેદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરવામાં નથી કરાઈ.
જયારે એસ્સાર પાવર ગુજરાત લી. સાથેના સપ્લીમેન્ટલ કરારને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા શરતી મંજુરી આપવામાં આવી છે જેની સામે એસ્સાર દ્વારા એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ કરવામાં આવી છે, આમ આ સપ્લીમેન્ટલ કરાર પણ કાર્યરત થયો નથી. જયારે અદાણી પાવર સાથે કરવામાં આવેલા સપ્લીમેન્ટલ કરાર અન્વયે અદાણી દ્વારા, તા. ૧.૧૨.૨૦૧૮નાં ઠરાવ મુજબ પાછલા સમયગાળાનું નુકશાન પ્રોજકેટ ડેવેલોપર દ્વારા ભોગવવાની મુખ્ય શરતનો ભંગ કરવાના કારણે, આ સપ્લીમેન્ટલ કરારની મંજુરી રદ કરવા માટે GUVNL દ્વારા કેન્દ્રીય વીજ નિયમન આયોગ સમક્ષ પીટીશન કરવામાં આવી છે, જે પેન્ડીંગ છે. આમ, ઉપરોક્ત તમામ પ્રોજેક્ટને તા. ૧.૧૨.૨૦૧૮નાં ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર થતું નથી.