ગુજરાત સરકારની યોજનાઓ અને તેમાં થતા ગોટાળા ઓ કેગના ઓડિટ રિપોર્ટમાં દર સાલ ખુલ્લા પડી જાય છે. ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો માટે શરૂ કરવામાં આવેલી દૂધ સંજીવની યોજના સદ્તંર નિષ્ફળ નીવડી છે.
કેગના રિપોર્ટમાં યોજનાને નિષ્ફળ ગણાવાઈ
2014-2015માં શરૂ કરાઈ હતી યોજના
શાળામાં દૂધ ઠંડુ રહે તેવી વ્યવસ્થાના અભાવે યોજના નિષ્ફળ: કેગ
રાજ્ય સરકારની દુધ સંજીવની યોજના નિષ્ફળ હોવાનું કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. શાળાના વિધાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં કુપોષણ દર ઘટાડવા માટે થઈને આ યોજના અમલી બનાવાઈ હતી. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો.
પાંચ વર્ષ પહેલા શરૂ કરાી હતી દૂધ સંજીવની યોજના
દુધ સંજીવની યોજના વર્ષ 2014-15 શરૂ કરાઇ હતી પણ શાળામાં દુધ ઠંડુ રહે તેવી વ્યવસ્થાના અભાવે યોજના નિષ્ફળ ગઈ છે. પાંચ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દૂધસંજીવની યોજના શરૂ કરી હતી.
બાળક દીઠ દૈનિક રૂા. 7.50 ખર્ચ ઉઠાવશે
અઠવાડિયાના પાંચ દિવસ 200 મિલીગ્રામ ફલેવર્ડ દૂધ વિતરણ કરાશે.આ પાછળ દૈનિક બાળકદીઠ એક પાઉચના રૂા 7.50ના ધોરણે ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે .શૈક્ષણિક કાર્યના 200 દિવસો સુધી લાભ મળે છે.