દલિત, આદિવાસી, લઘુમતી અને OBCની કુલ 80 ટકા વસ્તી છે, દર વર્ષે બજેટ બને છે તેમાં 1 ટકો રકમ પણ ફાળવાતી નથીઃ ગુજરાત કોંગ્રેસ
ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્ટિવ
OBC સમાજ મુદ્દે સરકાર પર પ્રહાર
સરકારે OBC સમાજ સાથે અન્યાય કર્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી દર વખતે પ્રભુત્વ ધરાવતા સમાજની આસપાસ લડાય છે. પાટીદાર, કોળી, ઠાકોર કે અન્ય કોઈ પણ સમાજ જેના મત વધારે તેણે વધુ ટિકિટની ફોર્મ્યુલા દરેક પક્ષ અપનાવતું હોય છે. પણ કોંગ્રેસ હવે દરેક મોરચે સરકારને ઘરવાના પ્રયાસ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના આરોપ મુજબ ભાજપ સરકાર OBC સમાજને કોરણે મૂકી રહી છે.
બીન અનામત આયોગ માટે 500 કરોડ, OBC સમાજ માટે માત્ર 21 કરોડ: અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસના નેતાઓ પણ એક્ટિવ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ OBC સમાજ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે.અમિત ચાવડાએ કહ્યું કે સરકાર OBC સમાજને અન્યાય કરી રહી છે.. બીન અનામત આયોગ માટે 500 કરોડ ફાળવ્યા જ્યારે OBC સમાજ માટે માત્ર 21 કરોડની ફાળવણી કરવામાં આવી વધુમાં સરકાર પર આરોપ કર્યા કે આદિવાસી, OBC સમાજ માટે ઓછા બજેટ ફાળવીને ભેદભાવ કરવામાં આવી રહ્યોછે. બજેટ પર OBC સમાજનો પણ હક્ક.. આ સમાજ પણ સરખો જ ટેક્સ ચૂકવે છે. તો પાછળથી આ અન્યાય શા માટે.જાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરતાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે દલિત , આદિવાસી અને લઘુમતી સમાજ માટે કોંગ્રેસ હક્કની લડાઈ લડશે.
ગુજરાતમાં જાતિવાદી સમીકરણ ( અંદાજિત )
ઠાકોર 16 ટકા
કોળી 14 ટકા
પટેલ 12 ટકા
ક્ષત્રિય 06 ટકા
આહિર 04 ટકા
દલિત 08 ટકા
આદિવાસી 15 ટકા
અન્ય ઓબીસી 09 ટકા
અન્ય સવર્ણ 07 ટકા
મુસ્લિમ 09 ટકા
80 ટકા સમાજ માટે ભાજપ સરકાર કંઇ કરતી નથી: જિગ્નેશ મેવાણી
આ અંગે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ નિવેદન આપતા કહ્યું કે દલિત, આદિવાસી, લઘુમતી અને OBCની કુલ 80 ટકા વસ્તી છે. આ સમાજો સામે ષડયંત્ર કરી હાંસિયામાં ધકેલી દેવાયા છે. 80 ટકા સમાજ માટે ભાજપ સરકાર કંઇ કરતી નથી. બજેટમાં આ સમાજોને અન્યાય થાય છે. આદિવાસી વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ નથી મળતી, ફ્રી શીપ કાર્ડ ચાલતા નથી. સાથે જ કેસ પરતને લઈ જણાવ્યું કે પટેલ સમાજના આંદોલન સમયના હજારો કેસ પાછા લીધા પણ ઉના કાંડ વખતેનો એક પણ કેસ સરકાર પાછો લેવા માગતી નથી. ગેનીબેન ઠાકોર પર થયેલા કેસ પણ સરકાર પાછા નથી લઇ રહી