મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓમાં PNG નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે PNG કનેક્શન અને CNG પંપને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
CMના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાર્ષિક 2 લાખની આવક ધરાવતા પરિવારો માટે રાહતના સમાચાર છે. માત્ર રૂપિયા 1 હજારની ડિપોઝિટમાં PNG ગેસ જોડાણ મળશે.
હાલ 13 લાખ 50 હજાર ઘરમાં PNG ગેસલાઈનનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે 2022 સુધીમાં 18 લાખ ઘરમાં ગેસલાઇન પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. આથી, ઘરે ઘરે પાઇપલાઇન ગેસ પહોંચાડવા ડિપોઝિટમાં રાહત આપવામાં આવી છે. જ્યારે તથા લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. 5 હજાર ડિપોઝિટ લેવાય તે અંગે પણ બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું.
300 જેટલા નવા CNG પંપ શરૂ કરવાનો સરકારનો નિર્ણય
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
તેમજ આગામી ર વર્ષમાં ૩૦૦ જેટલા નવા CNG પંપ શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેને લઈને CNG સહભાગી યોજના અંતર્ગત રાજ્યભરમાં CNG પંપ બનશે. જેના ભાગરૂપે રાજ્યના વિવિધ શહેરો અને ધોરીમાર્ગો પર CNG સ્ટેશન શરૂ કરાશે.