નવરાત્રિના વેકેશનને લઇને રાજ્ય સરકારે અંતિમ નિર્ણય લેતા આ વેકેશનને યથાવત રાખ્યું છે. રાજ્યમાં નવરાત્રિમાં 8 દિવસ દરમિયાન વેકેશન રહેશે. તારીખ 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીનું આ વેકેશન રહેશે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નવરાત્રિ વેકેશનને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ આ નિર્ણય યથાવત રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાઓમાં નવરાત્રીનું વેકેશન 8 દિવસ રહેશે
નવરાત્રીના વેકેશનને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન શાળાઓમાં 8 દિવસનું વેકેશન રહેશે. આ વેકેશન 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીનું રહેશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 28, 2019
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ મિનિ વેકેશનની જાહેરાત કરાઇ હતી. એટલે કે 7 દિવસ સુધી નવરાત્રિનું વેકેશન જાહેર કરાયું હતું. ત્યારે લોકોએ તે નિર્ણયનો આવકાર કર્યો હતો.