ગુજરાત હાલના સમયમાં પાણીના સંકટની સમસ્યાનો સામનો કરી રહી છે. રાજ્યના પાણીના સંશાધનો ઝડપથી સૂકાવા લાગ્યા છે. એનાથી પરેશાન ગુજરાત સરકારે હવે દેવીય કૃપાની આશા છે. એ ઇચ્છે છે કે આ વર્ષે સારો વરસાદ રહે અને ખૂબ વરસાદ થાય. એના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે 31 મે થી 33 જિલ્લામાં 41 પર્જન્ય યજ્ઞ કરાવવામાં આવે. આ ઉપરાંત 8 પ્રમુખ શહેરોમાં વર્ષાના દેવતા ઇન્દ્ર દેવ અને પાણીના દેવતા વરુણદેવને ખુશ કરવા માટે પણ યજ્ઞનું આયોદન થશે.
યજ્ઞ ગુજરાત સરકારના એક મહિનાથી ચાલી રહેલી 'સુજલામ સુફલામ જળ અભિયાન'ને પૂર્ણ કરશે. આ ડ્રાઇવ દ્વારા ડી સ્લિટ અને નદીઓ ઝીલો તળાવો કેનાલોને આવાનારી વરસાદની સિઝનમાં ઊંડા કરવાનું કામ થશે. યજ્ઞ કરવાનો નિર્ણય બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.
રાજ્યના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું 'સરકારે સારા મોન્સૂન માટે 31 મે થી પર્જન્ય યજ્ઞનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ યજ્ઞ આખા ગુજરાતમાં 41 સ્થળો પર થશે. યજ્ઞ સમાપ્ત થયા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. નિતીન પટેલ અને વિજય રૂપાણી તેમજ રાજ્યના મંત્રી અને વરિષ્ઠ અધિકારી આ યજ્ઞોમાં સામેલ થશે.'
ઉલ્લેખનીય છે કે રાજ્યના 204 ડેમમાં માત્ર 29 ટકા પાણી બચ્યું છે. 2019માં લોકસભાની ચૂંટણી થનારી છે. એવામાં રૂપાણી સરકારને ડર છે કે વપસાદમાં વિલંબ કે પાણીની કમીથી લોકોમાં અસંતોષ થઇ શકે છે જેના કારણથી એની અનુસાર ચૂંટણી પરિણામ પર પડશે.