દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલ તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાંક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટીસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
આજે રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે નિર્ણય જાહેર કરશે
આજે CM, ગૃહમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે
NGTની નોટિસ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી
ગુજરાતમાં હાલ હજુ પણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે NGTની નોટિસ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ફટાકડા ફોડવાથી પ્રદૂષણમાં વધારો થશે. જેને લઇને ડોકટર્સોના મત મુજબ પ્રદુષણથી કોરોના સંક્રમણમાં પણ વધારો થઇ શકે છે.
આમ રાજ્યમાં ફટાકડા ફોડવા મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે મોટો નિર્ણય લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.