નર્મદા યોજના અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારનું કરોડોનું લેણું બાકી હોવાનું સામે આવ્યુ છે. ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને 6436 કરોડ રૂપિયા લેણા નિકળે છે. પુનઃવસવાટ, વ્યાજખર્ચ અને બિનવિવાદીત રકમના નાણા લેણાં નિકળે છે.
નર્મદા યોજના(Narmada project) અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારનું કરોડોનું લેણું બાકી હોવાનું સામે આવ્યુ છે. ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને 6436 કરોડ રૂપિયા લેણા નિકળે છે. પુનઃવસવાટ, વ્યાજખર્ચ અને બિનવિવાદીત રકમના નાણા લેણાં નિકળે છે.
જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી રૂપિયા 4396 કરોડ, મહારાષ્ટ્ર સરકાર પાસેથી રૂપિયા 1484 કરોડ અને રાજસ્થાન સરકાર પાસેથી રૂપિયા 554 કરોડ લેણા નિકળે છે. રાજ્યસરકારે એપ્રિલ-2019 સુધીના આંકડા જાહેર કર્યા છે. જેમાં આ રકમ લેણી નિકળે છે.
આપને જણાવી દઈએ કે, નર્મદા પ્રોજેક્ટમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોની ભાગીદારી છે. ત્યારે આ યોજનાના ભાગીદારો પાસેથી કરોડોનું લેણું બાકી હોવાનું સામે આવ્યું છે.
ત્યારે મહત્વનું છે કે, સૌથી વધુ રકમ મધ્યપ્રદેશ પાસેથી લેવાની નીકળે છે. ત્યારે હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર છે. ત્યારે હવે ગુજરાત સરકાર બાકી રકમની ઉઘરાણી ક્યારે કરે તે જોવું રહ્યું.