કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, શૈલેષ પરમાર,પૂંજા વંશ દ્વારા કોરોનાને લગતા ધારદાર સવાલો સરકારને પૂછવામાં આવ્યા હતા
કોરોના અંગે અમિત ચાવડાનું નિવેદન
સરકારે કોરોના મૃતકની સંખ્યા છુપાવી
ગૃહમાં આવ્યા ચોંકાવનારા આંકડા સામે
ગુજરાત વિધાનસભામાં આજે કોરોના અંગે થયેલી ચર્ચા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ સરકાર પર ગુનાહિત પ્રવત્તિને કારણે કોરોનામાં 3 લાખ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર માનવતા દર્શાવી સહાય આપશે તો 3 લાખ લોકોને સહાય આપવી પડશે.
માતા કે પિતા ગુમાવનાર બાળકોની 20970 અરજીઓ મંજુર કરી - ચાવડા
સરકારે કોરોનામાં 10 હજાર લોકોના મૃત્યુ થયાની માહિતી આપી છે જ્યારે બાળ સખા યોજનામાં 27 હજારથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી સરકારે 20 હજાર અરજીઓ મંજૂર કરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ મૃતકને આપવાની સહાયમાં સરકારે 1 લાખથી વધુ લોકોને સહાય ચુકવી છે. આ જ બતાવે છે કે કોરોનામાં ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકારે છુપાવ્યા છે.
બાલ સહાયની 3 હજાર અરજી પડતર: શૈલેષ પરમાર,ધારાસભ્ય, કોંગ્રેસ
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો...શૈલેષ પરમારે કહ્યું કે, 10 હજાર 942 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યાના સરકારે આંકડા દર્શાવ્યા છે.સરકારે 20 હજાર 970 બાળકોને સહાયની અરજી મંજૂર કરી છે...બાલ સહાયની 3 હજાર અરજી પડતર છે...10 હજાર 942 મૃત્યુ થયા હોય તો 20 હજાર 970 અરજી કેમ મંજૂર થઇ છે.
લોકડાઉન જાહેર છતાં સરકારે કીટ ખરીદવામાં મોડું કેમ કર્યું? - શૈલેષ પરમાર
આ ઉપરાંત શૈલેષ પરમારે સરકારને કેટલાક વેધક સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે WHO દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. 22 માર્ચ 2020ના રોજ લોકડાઉન થયું તેમ છતાં સરકારે 17 એપ્રિલે કેમ ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપ્યો. સરકારે ટેસ્ટિંગ કીટની ખરીદી કરવામાં મોડું શું કામ કર્યું? સરકારે 17 રૂપિયાથી લઇ 1600 રૂપિયામાં વિવિધ ભાવે ટેસ્ટિંગ કિટની ખરીદી કરી છે તો સરકાર ભાવ તફાવત સાથે શા માટે કીટોની ખરીદી કરી
વેન્ટિલેટર માટે 125 કરોડનો કરાયો ખર્ચ
ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, 7412 વેન્ટીલેટર દાનમાં મળ્યા હતા. જેમમાં HLL લાઈફ કેરએ ધમન-1, ધમન-3,આગવા, અલાઈડ, બેલ, લાઈફવેન્ટ વેન્ટીલેટરનો સમાવેશ થાય છે. આ સાથે જ સરકારે વધુમાં માહિતી આપતા ગૃહમાં જણાવ્યું કે, સરકારે 2305 વેન્ટીલેટર પાઠળ રૂ.125 કરોડનો ખર્ચ થયો છે, જેમાં સૌથી વધુ સીલ્લર હેલ્થકેર ઈન્ડીયા પાસેથી પ્રતિ નંગ 11 લાખ લેખે ખરીદ્યા છે.