આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે સરકારી ડૉકટર, કેબિનેટ બેઠકમાં પણ થઇ ચર્ચા
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ
પ્રવક્તા જીતુ વાઘાણીએ બેઠકમાં થયેલી ચર્ચાઓ પર પ્રકાશ પાડયો
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે 4 કલાકે કેબિનેટની બેઠક મળી હતી.જેમાં અલગ અલગ મંત્રીઓ અને સિનિયર અધીકારીઓ હાજર, કોરોનાને માત આપીને હર્ષ સંઘવી કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં કોરોનાની હાલની સ્થિતિને લઈ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે વધતાં કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ અંતર જાળવવા અપીલ કરી દિલાસો આપ્યો હતો કે સરકાર કોરોનાની ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી સજ્જ છે. બસ લોકો નિયમોનું પાલન કરે, સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારના 121 દિવસે મુખ્યમંત્રીઓએ તમામ મંત્રીઓ તેમજ અધિકારીઑને અને નેતાઓને શુભકામનાઓ પાઠવી છે. 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ સીમિત સંખ્યામાં તેમજ ટુંકા સમય માટે રાખવામાં આવ્યો છે તેની પણ જાહેરાત કરી હતી.
આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે સરકારી ડૉકટર
ગુજરાત ગવર્મેન્ટ ડૉકટર ફોરમ આવતીકાલથી હડતાળ પર ઉતરવાનો છે ત્યારે ડૉક્ટરે હડતાલની ચીમકી ઉચ્ચારતા સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, નિમિષા સુથાર રહ્યા હતા તેમણે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધીકારીઓ સાથે હડતાળ અંગે ગહન ચર્ચા કરી હતી.
તબિબોની હડતાલ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન
તબિબોના પ્રશ્નો પર આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી છે
મંત્રીમંડળની પેટા કમિટી બનાવવામાં આવી છે
પેટા કમિટીએ મહત્વની બાબતોનો અહેવાલ તૈયાર કર્યો
ગુજરાતના તબિબોની લાગણીઓ રિપોર્ટમાં ધ્યાનમાં લેવાઈ છે
તબિબોની વ્યાજબી બાબતો સરકારે સ્વિકારી છે
પેટા કમિટિનો અહેવાલ સરકારે માન્ય રાખ્યો છે
સરકારે માગ સ્વિકાર્યા બાદ હવે કોઈ વિષય રહેતો નથી
તબિબોના તમામ પ્રશ્નો હવે ઉકેલાઈ ગયા છે
પહેલી અને બીજી લહેરના કેસોનો રેકોર્ડ તૂટયો
મંગળવારે આવેલા કોરોનાના કેસના આંકડાએ આખા ગુજરાતને ચોંકાવી દીધું છે. આજે રાજ્યમાં 17119 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 7883 દર્દીઓ સાજા થયા છે. આજે 10 દર્દીના મોત થયા છે અને હાલ 79600 એક્ટિવ કેસ છે. જેમાં 113 દર્દી વેન્ટિલેટર પર છે અને અન્ય 79487 દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ હવે સતત ઘટી રહ્યો છે, આજે 90.61 ટકા જેટલો છે.
બેઠકમાં ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ અંગે પણ થઈ ચર્ચા
આગામી માસ ફેબ્રુઆરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ આવશે જેને લઈને પણ ચર્ચા થઈ હતી. વધુમાં,આગામી રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી, ગુજરાત સરકારે ગીર-સોમનાથ જીલ્લામાં નિર્ધારિત કરી છે તે અંગે પણ આયોજન, ચર્ચા થઈ સરકાર પહેલાથી 26 જાન્યુઆરીના કાર્યક્રમ સાદાઈથી ઓછી સંખ્યામાં ઉજવવાની જાહેરાત કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા તેમજ જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરી હતી.
ઋષિકેશ પટેલે ટાસ્ક ફોર્સના નિષ્ણાંત તબીબો અને અધિકારીઓ સાથે બેઠક કરી
સેલ્ફ ટેસ્ટિંગ થાય તે ડેટા નથી આવતા પણ અમારી પાસે આવે તે જાહેર કરાયા છે.તંત્ર દ્વારા રાજ્ય માં 1 લાખ ઓક્સિજન બેડ , 6000 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક સ્થળે ઓક્સિજન અને બેડ જરૂર પડે તેની વ્યવસ્થા કરી છે. પણ ચિંતા એ છે કે કેસ વધે છે અને ડોકટર કહી રહ્યા છે કે પિક આવવાથી સંખ્યા કેટલી વધે તેની સ્ટડી પણ કરી રહ્યા છે.
પિક અને ફોલ બંનેનો સર્વે કરી રહ્યા છે.બીજી લહેર માથી શીખ લઈને તૈયારી કરી છે.છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ 1 લાખ ઉપર ટેસ્ટ રાજ્ય માં થઇ રહ્યા છે. તો નેતાઓના નિયમ તોડવા પર મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ. NGO અને કોઈ પણ સંસ્થા હોય બધાએ નિયમ પાડવા પડશે.જે લોકો નિયમ નહીં પડે તેમની સામે કાર્યવાહી થશે.