VTVના અભિયાન પછી સરકારે ફી મામલે સ્પષ્ટતા કરવી પડી છે. શિક્ષણ વિભાગ અને સંચાલકોની વચ્ચે વાલીઓ મુંઝાઈ રહ્યાં હતા. સંપૂર્ણ ફી પર 25 ટકા લેખે કેટલીક સ્કૂલો માફી આપતી હતી. જ્યારે સરકારે માત્ર ટ્યૂશન ફી જ લેવાની જાહેરાત કરી હતી. શાળાઓને સરકાર તરફથી કોઈ પરિપત્ર ન મળતા વાલીઓ મુંઝાતા હતા.
સ્કૂલ ફીમાં વાસ્તવમાં ફી શેને ગણવી તેની સ્પષ્ટતા પણ પરિપત્રમાં થઈ
મહામારીમાં અલગ-અલગ નામે લેવાતી ફી નહી માત્ર ટ્યૂશન ફીના જ પૈસા ભરવાના છે
ગુજરાતના વાલીઓના હિતમાં VTVના અભિયાનને સફળતા મળી હતી. અસ્પષ્ટતાઓ અને મુંઝવણને દૂર કરતો પરિપત્ર સરકારે જાહેર કર્યો હતો. ગુજરાતના વાલીઓનું દર્દ સમજતા VTV ન્યૂઝે અભિયાન ચલાવ્યું હતું. ફી મામલે વાલીઓના તમામ પ્રશ્નોની માધ્યમ બની હતી.
સ્કૂલ ફીમાં વાસ્તવમાં ફી શેને ગણવી તેની સ્પષ્ટતા પણ પરિપત્રમાં થઈ છે. મહામારીમાં અલગ-અલગ નામે લેવાતી ફી નહી માત્ર ટ્યૂશન ફીના જ પૈસા ભરવાના છે ટ્યૂશન ફીમાં 25 ટકા ઓછા લઈને ફી લેવા સરકારનો શાળાઓને આદેશ છે.
શું છે પરિપત્રમાં
શાળામાં ફી મામલે શિક્ષણ વિભાગનો પરિપત્ર
કોઈ પણ શાળા વર્ષ 2020-21માં નહી કરી શકે ફી વધારો
ટ્યુશન ફી સિવાયની ઈતર પ્રવૃતિની ફી નહીં લઈ શકાય
શાળા ફરજિયાત પણે વધારાની ફી નહીં માગી શકે
વૈકલ્પિક પ્રવૃત્તિ કરતા વિદ્યાર્થી પાસેથી જ પ્રવૃત્તિની ફી વસૂલાશે