જેતપુરમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. દેવકી ગાલોલ ગામના 150 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામની નજીકનું પરીક્ષા કેન્દ્ર રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવુ પરીક્ષા કેન્દ્ર ગામથી 50 કિમી દૂર હોવાથી વિદ્યાર્થીઓને પરેશાની થશે. આવવા-જવામાં 4 કલાક બગડતા હોવાથી વિદ્યાર્થીઓ નારાજ છે. નજીકમાં પરીક્ષા કેન્દ્ર આપવા માટે વિદ્યાર્થીઓ માગ કરી રહ્યાં છે.
જેતપુરમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓએ ઉચ્ચારી ચીમકી
બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી
દેવકી ગાલોલ ગામના 150 વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી સર્વ શિક્ષા, ભણે ગુજરાત આગળ વધે ગુજરાત ના નારા લગાવવા માં આવે છે, પરંતુ બોલવા માં અને કામ કરવા માં વિરોધાભાષ જોવા મળી રહેલ છે, જેતપુર તાલુકા ના દેવકીગાલોળ ગામ માં અભ્યાસ કરતા 150 જેટલા વિધાર્થી ઓ નું ભાવિ અધર તાલ થઇ ગયું છે, ધોરણ 10 ના વિદ્યાર્થી ઓ ને 50 કિમિ દૂર પરીક્ષા કેન્દ્ર આપતા આ વિદ્યાર્થી ઓ એ પરીક્ષા ના બહિષ્કાર ની ચીમકી આપી છે.
ધોરણ 10 ના વિધાર્થીઓ હાલ મોટી મુશ્કેલી
જેતપુર તાલુકાનું છેલ્લું અને અમરેલી જૂનગાઢ જિલ્લાની બોર્ડર પર આવેલ દેવકી ગાલોળ ગામના ધોરણ 10ના વિધાર્થીઓ હાલ મોટી મુશ્કેલીમાં છે, અહીં આસપાસના ઘંટીયાળ , રાફળિયા, ધારી ગુંદાળી વગેરે ગામોના 150 જેટલા વિધાર્થી અને વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે , આ વર્ષે તેવો ને ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેર માં કેન્દ્ર આપવામાં આવેલ છે.
50 કિ.મી દૂર જવું પડે છે પરીક્ષા આપવા
પહેલા તેવો ને ગામ ની બાજુમાં જ માત્ર 10 કિલોમીટર માં જ કેન્દ્ર હતું , જે જેતપુર માં આપતા હવે આ ગામોના વિદ્યાર્થીઓને 50 કિલોમીટર જેટલું દૂર પડી રહેલ છે, ત્યારે પરીક્ષાનો સમય સવારનો હોય સવાર માં કોઈ ST બસ કે ખાનગી વાહનો નહિ મળી શકે તેમ હોય વિદ્યાર્થી ઓ હેરાન થવા ની શક્યતા છે. કારણ કે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે 4-4 કલાક ની મુસાફરી અને પછી પરીક્ષા જેને લઇને વિધાર્થી ઓ રોષે ભરાયા છે.
150 જેટલા વિદ્યાર્થી ઓ માં 50 ટકા જેટલી તો દીકરીઓ
બહિષ્કાર કરી રહેલ 150 જેટલા વિદ્યાર્થી ઓ માં 50 % જેટલી તો દીકરી ઓ જ છે, અને આ વિધાર્થીની ઓ પણ રોષે ભરાય છે અને સરકાર અને તંત્રને પ્રશ્ન પૂછી રહેલ છે, આ કેવી કન્યા કેળવણી કે જ્યાં દીકરી ઓને પરીક્ષા આપવા માટે 50 - 50 કિલોમીટરની મુસાફરી કરીને જવું પડે, નજીકમાં જ પરીક્ષા કેદ્ર હોવ છતાં તંત્ર ની બેદરકારીને લઇને દીકરીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે, તેવોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે તેવો ને નજીક માં જ પરીક્ષા કેદ્ર આપવામાં આવે નહીં તો ઉપવાસ આંદોલન સુધીની ચીમીક આપેલ છે.
વાલી ઓ પણ ચિંતતી
પરીક્ષાકેન્દ્ર રદ થતા વિધાર્થીઓના વાલીઓ પણ ચિંતતી છે અને તેમના સંતાનોને પરીક્ષા કેમ અપાવવી તેની ચિંતા થઇ રહી છે, જયારે આ બાબતે વિધાર્થીઓના વાલીઓ અને ગ્રામ પંચાયત દ્વારા પરીક્ષા કેન્દ્ર નજીકમાં આપવાની રજૂઆતનું કોઈ નક્કર પરિણામના આવતા તેવો આંદોલન પણ કરશે.
વારંવાર સરકારના તમામ જગ્યાએ રજૂઆત
પરીક્ષાનો બહિષ્કારની ચીમકી આપી રહેલા વિદ્યાર્થીઓ બાબતે શાળાના આચાર્યને પૂછતાં તેવોએ પણ વિદ્યાર્થીઓની સમસ્યાને સમર્થન આપ્યું હતું અને આ બાબતે તેવોએ વારંવાર સરકારના તમામ જગ્યાએ રજૂઆત કરી છે, જૂનગાઢ જિલ્લાની બોર્ડર ઉપર હોય અહીં જૂનાગઢ જિલ્લાનું પરીક્ષા કેન્દ્ર માત્ર 10 કિલોમીટર હોય છતાં પણ બોર્ડ અને સરકાર દ્વારા બેદરકારીથી 50 કિમિ દૂર આવેલ હોય આ ઘટના બની છે
સરકાર ની બેદરકારી ને લઇ ને હાલ તો આ 150 જેટલા વિધાર્થી ઓ નું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે, ત્યારે સરકાર યોગ્ય પગલાં લઇ ને આ વિધાર્થી ઓ ની સમસ્યા હાલ કરે તે જરૂરી છે