ગુજરાતમાં ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે થર્મલ પાવર પ્લાન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેથી હવે રાજ્યમાં હવે નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી નહીં મળે. ઊર્જાની માગ પુરવા બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા નવા થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી નહીં મળે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટ્સની પરવાનગી સરકાર નહીં આપે. રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુથી સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન-ક્લીન ઉર્જા ઉત્પાદનના માધ્યમથી રાજ્યને પ્રદૂષણમુક્ત રાજ્ય બનાવવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 8થી 10 ટકા વીજ માંગને પહોંચી વળવા માટે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતનો ઉપયોગ કરવાન નિર્ણય લેવાયો છે. ત્યારે રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, ગુજરાતમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટ્સની મંજૂરી નહીં આપવામાં આવે.
મહત્વનું છે કે, રાજ્ય સરકારે સૌર ઉર્જા પર ભાર મૂક્યો છે. ખેડૂતો પાસે વીજ ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ખેડૂતોના ખેતરમાં સોલર પેનલો લગાવવામાં આવશે. જેમાંથી ખેડૂતોને પોતાની જરૂરિયાત પુરતી વીજળીનો ઉપયોગ કરે જ્યારે બીજી બચેલી વીજળીને સરકાર ખરીદશે.