હાલમાં ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વિકાસ કામોને મંજૂર કરાયા છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવાની સરકારે જાહેરાત કરી છે.
વિભાગના પ્રધાનો દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. ચોમાસા સત્ર દરમિયાન ખેડૂત અકસ્માત વીમા યોજના, ગરીબ પરીવાર, કૃષિ સિંચાઈ યોજના વગેરે મુદ્દાઓને લઈને પ્રશ્નોતરી કરાઈ હતી.
વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગની માંગણીઓને મંજૂરી કરવામાં આવી છે. રાજ્યભરમાં રૂપિયા 350 કરોડના ખર્ચે 75 ફ્લાય ઓવર બનાવવામાં આવશે. 37 રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તો અમૃતમ યોજના હેઠળ વિકાસ પ્રોજેક્ટ માટે રૂપિયા 5૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાનું પાણી પુરૂ પાડવા રૂપિયા 2૦૦ કરોડ ફળવવામા આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂપિયા 1248 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અત્યાર સુધી 2.62 લાખ આવાસો બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 510 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-2, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી મિશન હેઠળ 6 શહેરમાં પ્રોજેક્ટ માટે રૂપિયા 597 કરોડ ફાળવવામાં આવ્યા છે.