ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના ખતરાને જોતાં સરકાર એક્શનમાં આવી છે અને રાજ્યના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓ સોંપી દેવામાં આવ્યા છે.
સમુદ્રમાં વધુ મજબૂત બની ગયું છે વાવાઝોડું
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અલર્ટ, અધિકારીઓ ખડેપગે, NDRF-SDRF જમીન પર ઉતરી
રાજ્ય સરકારના મંત્રીઓને સોંપાઈ જવાબદારીઑ
વાવાઝોડાને લઈને મોટા સમાચાર
તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યોમાં ટેન્શન વધ્યું છે ત્યારે અરબ સાગરમાં આ ચક્રવાત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ચક્રવાત હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું પણજી-ગોવાથી 200 કિલોમીટર જેટલું દૂર છે તથા વેરાવળથી 700 કિમી દૂર છે. જૉ આ જ દિશા રહી તો વાવાઝોડું સીધું જ પોરબંદરને ટકરાશે અને જૉ દિશા બદલાય તો વાવાઝોડું અન્ય દિશામાં ફંટાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 18મી મેના રોજ ગુજરાતને ટકરાઇ શકે છે.
મંત્રીઓને સોંપાઈ જવાબદારીઓ :
રાજ્ય પર કોરોના વાયરસના કહેર વચ્ચે આવેલી આ આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે મંત્રીઓને જુદી જુદી જવાબદારીઑ સોંપી દીધી છે જેમાં જુદા જુદા જિલ્લાઓના મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી આપવામાં આવી છે.
કયા મંત્રી કયો જિલ્લો સોંપાયો?
ભુપેન્દ્રસિંહ ચુડાસમા-ગીરસોમનાથ
જયેશભાઇ રાદડિયા-પોરબંદર
જવાહરભાઇ ચાવડા-જૂનાગઢ
દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર-કચ્છ
ધર્મેન્દ્રસિંહ જાડેજા-દેવભૂમિ દ્વારકા
કુંવરજીભાઇ બાવળીયા-અમરેલી
સૌરભભાઇ પટેલ-રાજકોટ
યોગેશભાઇ પટેલ-મોરબી
આર. સી. ફળદુ-જામનગર
કુમારભાઇ કાનાણી-સુરત
રમણભાઇ પાટકર-વલસાડ
ઇશ્વરભાઇ પરમાર-નવસારી
ઇશ્વરસિંહ પટેલને-ભરૂચ
તંત્રની તૈયારીઓ :
અમરેલીના જાફરાબાદમાં SDRF તથા NDRFની ટુકડીઓ પહોંચી ગઈ છે