મગફળીની ટેકાના ભાવે ખરીદીની મોટે ઉપાડે જાહેરાત કરનાર સરકારી તંત્ર બીજા તબક્કાની શરૂઆતમાં જ હાંફી ગયું છે. સરકાર દ્વારા મગફળી ખરીદીના બીજા તબક્કાની ખરીદી માત્ર ચાર જ દિવસમાં એકએક બંધ કરી દેવામાં આવી તો ખેડૂતો કફોડી સ્થિતમાં મુકાઈ ગયા. સરકાર પાસેથી મણ મગફળીના એક હજાર મળવાની આશા હવે પાણીમાં વહી જતાં ખેડૂતો નથી ઘરના રહ્યા કે ઘાટના. ઘરમાં મગફળી મુકવાની જગ્યા નથી અને ખેતરમાં મગફળી કોરી જ રહેશે તેની કોઈ ગેરેન્ટી નથી. મગફળી ખરીદવાની સરકારની કોઈ મરજી નથી.
ખરીદતંત્ર બનાવ્યા કૃષિકારને લાચાર
મગફળીની ખરીદી એકાએક કરી બંધ
ભાવ મળવાની આશા પર લાગી ગયું તાળું
નથીના નકાર વચ્ચે અને સરકારના વચન પ્રહાર વચ્ચે ફસાયેલા કૃષિકાર
મોરબી જિલ્લામાં મોરબી હળવદ અને વાંકાનેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સારા ભાવ મળવાની હજારો ખેડૂતોમાં આશા જાગી હતી. આ પંથકના હજારો ખેડૂતોએ ટેકાના ભાવે એક હજાર મળવાની આશામાં હોંશે હોંશે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ ગત માસમાં ખરીદી શરૂ પણ થઈ હતી. પરંતુ સરકારના ખરીદતંત્રને શું મનમરજી સૂઝી કે બાદમાં આ ખરીદ જ બંધ કરી દેવાઈ હતી. થોડા ઉહાપોહ વચ્ચે ગત 22 જાન્યુઆરીએ બીજા તબક્કાની મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી તો ખરી પણ તે પણ અચાનક જ બંધ કરી દેવાઈ જેના કારણે ખેડૂતો કફોડી હાલમાં મુકાઈ ગયા છે. ખેડૂતો પોતે છેતરાયા હોવાનો ભાવ અનુભવી રહ્યા છે.
શું છે વેદના જગતના તાતની... કેમ કરો છો મજાક?
મોરબી જિલ્લામાં ત્રણ મગફળીના સેન્ટરો બંધ કરી દેવાતાં અનેક ખેડૂતો મગફળી વેચવાથી વંચિત રહી ગયા છે. સરકારે અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હોવાથી અનેક ખેડુતોએ મગફળીના પોષણક્ષમ ભાવો મળશે એ આશાએ મગફળીની સંઘરી રાખી હતી. હવે મગફળીના સેન્ટરો બંધ કરી દેવાતાં આ મગફળી ઘરમાં જ સંઘરવી રાખવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે હવે મગફળી બજારમાં વેચવા જાય તો નફો તો એક બાજુએ રહ્યો પણ ખોટ સહન કરવી પડે તેવા નીચા ભાવો મળે તેમ છે. ત્યારે હવે આ મગફળી નકામી જાય તેમ હોવાથી સરકારની આ નીતિ રીતિ પ્રત્યે ખેડૂતો અને ખેડૂત આગેવાનોમાં પ્રબળ રોષ જોવા મળી રહ્યો છે.
સરકારે ફરી એકવાર ખેડૂતોને ડામ દીધો!
સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીના નામે ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોય એ રીતે માત્ર ટૂંકા ગાળામાં જ બીજા તબબકની મગફળીની ખરીદી બંધ કરી દેતા ખેડૂતોમાં ભારોભાર રોષ છવાયો છે. એકબાજુ પુરવઠા તંત્ર એમ કહે છે કે મગફળીની ખરીદી હવે પુરી થઈ ગઈ એન્ડ ખેડૂતને જાણ કરવા છતાં આવતા હોય તેમજ ખેડૂતોને બદલે વેપારીનો માલ ઘુસી જવાંની ભીતિ રહેતી હોવાથી આ ખરીદી કેન્દ્રો બંધ કર્યાનો લુલો બચાવ કરે છે. સામે પક્ષે ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે હજી અનેક ખેડુતો બાકી રહી ગયા છે. તેથે સરકારે ફરી એકવાર ખેડૂતોને ડામ દીધો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
હાલમાં બજારમાં મગફળીનો ભાવ 700 ની આસપાસ જ છે. ત્યારે મગફળી વેચવાથી અને રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા ખેડૂતોને હવે મગફળીમાં ભારે નુકશાન સહન કરવું પડે એમ છે. એક તરફ મગફળીનો આટલો મોટો જથ્થો સંઘરવા માટે ખેડૂતો પાસે ક્ષમતા નથી. તો બીજી તરફ આ માવઠાના મોસમમાં ખેતરમાં ખુલ્લી મૂકી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ખેડૂતો ખુલ્લા બજારમાં ખોટના ભાવે મગફળી વેચવા મજબુર બન્યા છે.