ગાંધીનગરઃ નવુ વર્ષ શરૂ થઇ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રાધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ મળશે. પ્રાધ્યાપક મંડળની ડેસીએમ નીતિન પટેલ સાથે બેઠક થઇ હતી. ત્યારે રાજ્ય પ્રધ્યાપકો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે.
મહત્વનું છે કે નવેમ્બર 2016થી 7માં પગાર પંચની જાહેરાત કરાઇ હતી. એરીયસની ચૂકવણીમાં રાજ્ય સરકારને રૂ.400 કરોડનો બોજ પડશે. જેમાં 7500 જેટલા પ્રાધ્યાપકોને લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સાતમા પગાર પંચની રાહ જોવાતી હતી અને લડત પણ ચાલી રહી હતી. ત્યારે પ્રાધ્યાપકોની આતુરતાનો અંત આવ્યો છે અને 7500 અધ્યાપકો અને સ્ટાફને આ પગાર પંચનો લાભ મળશે.
7માં પગાર પંચના પ્રશ્ને પ્રાધ્યાપકોએ ચીમકી ઉચ્ચારી હતી
અગાઉ પ્રાધ્યાપકો દ્વારા રાજ્ય કક્ષાએ આંદોલનની શરૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. માધ્યમિક શિક્ષકોમાં પણ સાતમા પગાર પંચના એરિયર્સ માટે વારંવાર રજૂઆતો થયા બાદ એરિયર્સ પાંચ ભાગમાં આપવામાં આવશે તેવી જાહેરાત સરકારમાંથી કરવામાં આવી હતી.