રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનો મોટું નુકસાન થયું છે. પાક નુકસાની મુદ્દે રાજ્ય સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે. 25 જિલ્લાઓમાં પાક અને જમીન નુકસાનીનો સર્વે કરવામાં આવશે. નુકસાની મુદ્દે ઓનલાઇન અરજી પણ સ્વીકારાશે. જિલ્લા કલેક્ટર દ્વારા સર્વે માટે ટીમો બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે. તેવામાં હવે પાક વળતરની જાહેરાતને લઇ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સરકારની જાહેરાતને છેતરામણી ગણાવી છે.
ગુજરાતમાં વરસાદથી પાકને ભારે નુકસાન
સરકારે 15 દિવસમાં નુકસાનનો સર્વે કરવાની જાહેરાત કરી
કોંગ્રેસે સરકારની જાહેરાતને છેતરામણી ગણાવી
ખેડૂતોના પાકને અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનની કોંગ્રેસ હાલ સમીક્ષા કરી રહી છે. પાક વળતરની જાહેરાતને લઇ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે સરકારે આપેલી જાહેરાતને છેતરામણી ગણાવી હતી. 24 કલાકમાં સર્વે થાય તેવી કોંગ્રેસે માગ કરી છે. પ્રાથમિક સર્વે તલાટી, ગ્રામ સેવક માગ કરે તેવી માગ કોંગ્રેસે કરી છે.
કૃષિ મંત્રી 15 દિવસની વાત કરી, પાણી ઓસરી ગયા પછી સર્વે ન થાયઃ ચાવડા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વે કરાવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમના કૃષિ મંત્રી 15 દિવસમાં સર્વે કરવાની વાત કરે છે. ત્યારે પાણી ઓસરી જાય પછી સર્વે કરીને શું ફાયદો તેની વાત કરી છે. કોંગ્રેસે 15 દિવસમાં ખેડૂતોને ચુકવણી કરી દેવી જોઈએ તેવી માગ કરી છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું છે કે, ટ્રમ્પ માટે રાતોરાત રસ્તા સ્ટેડિયમ બની જાય તો સર્વેની કામગીરી કેમ ન થાય તેવા પ્રહાર કર્યા છે.
કૃષિ મંત્રી દ્વારા જાહેરાત પર કોંગ્રેસ ખેડૂત આગેવાન પાલ આંબલીયાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, જાહેરાતમાં કશુ નવુ નથી, કિસાન સહાય પહેલાથી લાગુ જ હતી. વાત નુકસાની સર્વે કરવાની હતી. ગત વર્ષે 15 દિવસમાં સર્વે કરવાનુ સ્ટેમેન્ટ આપ્યુ હતું. SDRFની જોગવાઇમા વ્યક્તીગત અરજી સામે વ્યક્તીગત સર્વે હોય છે. ગત વર્ષે સાડા સાત લાખ ખેડૂતોએ અરજી કરી હતી. SDRFની જોગવાઇ મુજબ વળતરમાં પણ ઘટાડો કર્યો છે. સરકાર માત્ર જાહેરાત કરવામાં માને છે. અસરગ્રસ્ત વિસ્તારોનો ડ્રોનથી સર્વે કરાય છે. ખેડૂતોને ડાયરેક્ટ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઇ છે.
સરકાર પાસે જ આપવા માટે નાણા નથીઃ વિરજી ઠુમ્મર
આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર પર પ્રહાર કર્યા છે. ઠુમ્મરે કહ્યું કે સરકાર પાસે તંત્ર નથી, ગ્રામ સેવકની 80 ટકા જગ્યા ખાલી છે, 4 તાલુકાનો ચાર્જ એક જ અધિકારી સંભાળે છે તો સરકાર સર્વે કઈ રીતે કરશે. સરકાર પાસે જ આપવા માટે નાણા નથી જેથી ખેડૂતોને કંઈ મળે એવું દેખાતું નથી. 150 ટકા વરસાદ પડ્યો છે તો હવે સર્વે શા માટે?.. વિરજી ઠુમ્મરે જણાવ્યું કે સરકાર પાસે તમામ ખેડૂતના ડેટા છે જો સહાય આપવાની નીતિ હોય તો સીધા આપી શકે છે.. સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસે કંઈ બચ્યું નથી. 100 ટકા પાકનું નુકસાન થયું છે.