અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 90થી 110 કિ.મીના ઝડપે પવન ફુંકાઇ શકે છે. ત્યારે વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. નવલખી, જાફરાબાદ, પોરબંદર, ઉના, વેરાવળ, અમરેલી, ભાવનગર અને સોમનાથ સહિતના ગુજરાત-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાને લઈને ડિઝાસ્ટરની બેઠક મળી હતી. મહેસુલ વિભાગના અધિક સચિવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સાયક્લોનને લઇ બોલાવાઈ ઇમરજન્સી બેઠક
રાજ્યમાં વાવાઝોડાના સંકટને લઇને ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વાવાઝોડાને લઇ બેઠક બોલાવાઇ છે. જેમાં વાવાઝોડાની અસર અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી. વાવાઝોડાની અસરને લઇ NDRF-SDRFની ટીમો તૈનાત કરવામાં આવશે. બેઠકમાં ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા..
મહત્વનું છે કે, ડિઝાસ્ટર વિભાગની આ બેઠકમાં NDRF અને SDRF તેમજ ઈસરો અને નેવીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે વાવાઝોડાના ખતરાને લઈને NDRF ટીમને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
930 કિમી દૂર સમુદ્રમાં ડિપ્રેશનની અસરઃ પંકજ કુમાર
મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા મામલે પંકજ કુમારે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વેરાવળથી 930 કિમી દૂર સમુદ્રમાં ડિપ્રેશનની અસર છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાઇક્લોનની અસર થશે. દરિયામાંથી મોટાભાગની બોટ પાછી આવી ગઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક પોર્ટ પર 1 નંબરનુ સિગ્નલ જાહેર કરાયુ છે. જે બોટ પાછી નથી આવી તેનું મોનિટરિંગ ચાલુ છે. તમામ ગતિવિધીઓ પર રાજ્ય સરકારની નજર છે. કોસ્ટગાર્ડ, આર્મી, NDRF, એરફોર્સ સાથે ચર્ચા થઈ છે. દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહીં જવા માટે સુચનો કરાયા છે. બચાવકાર્યો માટે ગુજરાતની 15 ટીમ મોકલવામાં આવશે. અન્ય રાજ્યોની ટીમોની પણ બચાવકાર્ય માટે મદદ લેવાશે. અમદાવાદ આર્મી, ધાંગધ્રા અને કચ્છની આર્મીને અલર્ટ અપાયા છે. દરીયાકાંઠાના ગામોને જરૂર જણાતા ખાલી કરાશે. આવતીકાલે ગામો ખાલી કરવા મુદ્દે નિર્ણય લેવાશે.
આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરાવર્તીત થશે!
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગરમી વધી રહી છે. ત્યારે હવે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવવાના કારણે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. ધીમે ધીમે ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હાલમાં આ સિસ્ટમ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ સક્રિય થઈ છે. ડિપ્રેશન વેરાવળથી દક્ષિણ પૂર્વથી 930 કિલોમીટર દુર સક્રિય થશે. ડિપ્રેશન અગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં સક્રિય થાય તેવી શક્યતા છે. અગામી 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડા આવે તેવી શક્યતા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે આગામી 12 અને 13 જુનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. આગામી 12 જૂને ગુજરાતમાં વરસાદ આવે તેવી શક્યતા છે. વાવાઝોડાના કારણે ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, રાજકોટ કચ્છ જિલ્લામાં વરસાદ આવે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે, નવલખી, જાફરાબાદ, પોરબંદર, ઉના, વેરાવળ, અમરેલી, ભાવનગર અને સોમનાથ સહિતના ગુજરાત-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
નવલખી બંદરમાં એક નંબરનુ સિગ્નલ
મોરબીના નવલખી બંદરમાં એક નંબરનુ સિગ્નલ લગાવવાામાં આવ્યું છે. પુર્વમધ્ય અરબી સમુદ્રમા લો પ્રેશર સર્જાતા સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, પૂર્વ મધ્ય સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા સમુદ્રમાં વરસાડ પડી શકે છે. જેને લઈને સુચના આપવામાં આવી છે.
જાફરાબાદ બંદર પર લગાવાયું 1 નંબરનું સિગ્નલ
અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે. હવામાન વિભાગે સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે સૂચનાને લઇ મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર પહોંચી છે.
પોરબંદરમાં એક નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કરણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ત્યારે પોરબંદર પોર્ટ પર સાવચેતીને લઇ સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં હવાના દબાણને પગલે પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદરના દરીયા કીનારે પવનની ગતી વધે તેવી શક્યતા હોવાના કારણે બંદર ઉપર ૧ નંબરનુ સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે. બંદર વિસ્તારમાં લાંગરવામાં આવેલી બોટોને સલામતી લઈ માછીમારોને સર્તક કરવામાં આવ્યા છે.
અરબી સમુદ્રમાં સર્જાઈ લો પ્રેશર સિસ્ટમ: માછીમારોને દરિયો ન ખેડવા સુચના
ગુજરાતમાં ચક્રાવતનુ સંકટ તોળાઈ રહ્યુ છે. જેને પગલે સૌરાષ્ટ્રના દરીયા કિનારે પણ ભારે પવન ફુંકાવની શક્યતા રહેલી છે. હવામાન વિભાગની સુચનાને પગલે કેટલાક બંદરો પર ૧ નંબરનુ સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના આપવામા આવી છે. જોકે હાલ માછીમારીની સીઝન પૂર્ણ થઈ ગઈ હોવાથી મોટભાગની બોટને બંદર વિસ્તારમાં લાંગરી દેવામાં આવી છે. આકરી બાદ અરબી સમુદ્રમાં ડીપ્રેશનને કારણે ચક્રવાત સર્જયુ છે.