ગુજરાતનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક કક્ષાનો છે પણ કોરોનાની મહામારીને કારણે પડી ભાંગેલા આ ઉદ્યોગમાં પ્રાણ પુરવા માટે ગુજરાત સરકારે ગેસબિલમાં 16 ટકાની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
સિરામીક ઉદ્યોગકારોને સરકારની મોટી રાહત
ગેસ બીલમાં 16 ટકા રાહતનો CMનો નિર્ણય
કોરોનાકાળમાં સિરામીક ઊદ્યોગને મોટી રાહત
કોરોનાની મહામારીને કારણે બેહાલ બનેલા સિરામીક ઉદ્યોગ માટે સારા સમાચારા સામે આવ્યા છે. ગુજરાત સરકારે આ માટે મોટો નિર્ણય લીધો છે. સિરામીમક ઉદ્યોગકારો માટે રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગેસ દ્વારા અપાતા બીલમાં રાહત મળશે.
શું મળશે રાહત
મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના ઉદ્યોગકારોને રાહત આપવામાં આવી છે. પ્રતિ SCM રૂપિયા 2.50 વધારાની રાહત અપાશે. અગાઉ ઉદ્યોગોને પ્રતિ SCM રૂ.2ની બીલમાં રાહત અપાતી હતી. આ રાહતને પગલે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે.
સિરામીક ઉદ્યોગકારોને ગુજરાત સરકારની મોટી રાહત: ગેસ બીલમાં 16 ટકા રાહત અપાઈ#gujarat#GasBill@CMOGuj