ગુજરાત સરકારે 1990ની બેચના IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી એડીશનલ ચીફ સેક્રેટરીનું પ્રમોશન આપ્યું. આ અધિકારીઓમાં કમલ દયાણી, M.K દાસ, મનોજ અગરવાલ, C V સોમ, અરુણ કુમાર સોલંકીનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે રાજ્યના 5 સિનિયર અધિકારીઓને બઢતી આપી છે. આ અધિકારીઓમાં કમલ દયાણી, M.K દાસ, મનોજ અગરવાલ, C V સોમ, અરુણ કુમાર સોલંકીનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ 1990ની કેડરના છે.
કમલ દયાણીને જાહેર વહીવટ વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. મનોજ કુમાર દાસને CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. C V સોમને ખેલકુદ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. મનોજ અગરવાલને સોશ્યલ જસ્ટિસ એન્ડ એમપાવરમેન્ટ વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. અરુણકુમાર સોલંકીને એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટરના પદે મુકવામાં આવ્યા છે.
નોંધનીય છે કે અત્યારે આ અધિકારીઓની ફક્ત બઢતી કરવામાં આવી છે બદલી કરવામાં આવી નથી. તેઓ જે વિભાગમાં હતા તે જ વિભાગમાં તેમણે એડીશનલ ચીફ સેક્રેટરીના પદે રાખવામાં આવ્યા છે.