ગોધરામાં મૃતક વ્યક્તિ અને બે પરિવારજનોના વેક્સિનેશનના સર્ટિફિકેટ ઇશ્યુ થયા હોવાનું આવ્યું સામે, 26 મે 2021ના રોજ વેક્સિન લીધી હોવાનો આવ્યો મેસેજ
ગોધરામાં વેક્સિનેશનમાં લોલમલોલ
મૃતક વ્યક્તિને કેવી રીતે વેક્સિન આપી?
શું મૃતકના નામે બીજા કોઇને વેક્સિન અપાઇ?
ગોધરામાં કોરોના વેક્સિનેશનને લઇ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વર્ષ અગાઉ મૃત્યુ પામેલા વ્યક્તિને વેક્સિન અપાયાના સર્ટી ઇશ્યુ થયા છે. મૃતક વ્યક્તિ અને બે પરિવારજનોના વેક્સિનેશનના સર્ટિફિકેટ ઇશ્યુ થયા હોવાનું સામે આવ્યું છે. 26 મે 2021ના રોજ વેક્સિન લીધી હોવાનો મેસેજ આવ્યો. જેને લઇ પરિવારજનોમાં ચિંતા જોવા મળી કે, શું તમને ફરી વેક્સિન નહીં મળે. ત્યારે ડોઝ સગેવગે કરવા ખોટા રજિસ્ટ્રેશનની પણ ચર્ચા થઇ રહી છે. તો આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. અને ભૂલ કરનાર વ્યક્તિને છૂટા કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ કહ્યું કે કોઇ બદઇરાદાથી કર્યું હશે તો કડક કર્યવાહી કરીશું.
ગોધરાના આઇટીઆઇ નજીક આવેલા ભરવાડ વાસમાં રહેતા અતુલભાઈ ડીંડોળે 30 એપ્રિલે કોરોનાની વેકસીનનો ડોઝ લીધો હતો. સાંપા પ્રાથમિક આરોગ્ય સંચાલિત વેકસીન સેન્ટર ખાતે વેકસીન મુકાવી હતી. જેના બાદ અતુલભાઈના મોબાઈલ ઉપર ગત 26 મેના રોજ તેમણે વેક્સીન મુકાવ્યાનો મેસેજ પ્રાપ્ત થયો હતો. મેસેજ જોતા જ તેમને આશ્ચર્ય થયું કે, આટલા દિવસ બાદ મેસેજ કેવી રીતે આવ્યો,
તેની નીચેના અન્ય મેસેજ જોતા અતુલભાઈ ચોંકી ઉઠ્યા મેસેજમાં પોતાના, તેમના ભાભી અને ભાઈએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોવાનો મેસેજ અને સર્ટિફિકેટની લિંક જોવા મળી. આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે અતુલભાઈના મોટાભાઈ કાલિદાસ ભીલ કે, જેઓ ઍકવર્ષ પહેલા ગુજરી ગયા હતા. તેમને પણ 26 મેના રોજ વેક્સિન મુકવ્યાનો જોયો. આ મેસેજ જોતાં જ અતુલભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ કોમ્પ્યુટરના માધ્યમથી વેકસીન મુક્યા અંગેના સર્ટીફીકેટની પ્રિન્ટ કાઢી લીધી હતી. જે બાદ જેઓએ પોતાની સંસ્થાના અધિકારીને જાણ કરી હતી.
એક જ પરિવારના ત્રણ સભ્યોએ વેકસીનનો ડોઝ મુકાવ્યા વિગર જ તેઓના ઓળખ પુરાવા આધારે આરોગ્ય વિભાગે એન્ટ્રી કરી દીધી. આ ગંભીર છબરડો હાલ તો બહાર આવ્યો છે. જોકે આ મામલે આરોગ્ય વિભાગમાં હાલ તો છબરડો કોણે અને કેવી રીતે કર્યો છે. જે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, અતુલભાઈએ પોતે 30 એપ્રિલે જ વેકસીનનો પ્રથમ ડોઝ સેન્ટર ઉપર જઈ લીધો હોવા છતાં 26 મેના રોજ પોતાને વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોવાનો મેસેજ જોઈ તેઓ અચમ્બો પામી ગયા હતા.એવી જ રીતે તેઓના ભાભી સંતુબેન જેઓ પણ વેકસીન મુકાવી નથી. તેમ છતાં પ્રથમ ડોઝ લીધો હોવાનું પ્રમાણપત્ર અને મોબાઈલ મેસેજ આવ્યો છે. આમ આ પરિવારના ત્રણ વ્યક્તિ ઓળખ પુરાવાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું હાલ તો ફલિત થતું જોવા મળ્યું છે. અતુલભાઈ અને તેમના પરિવારજનો માંગણી કરી રહ્યા કે, જે લોકો રસી મુકાવવા માટે રઝળપાટ કરે છે. એ લોકો ને પહેલા રસી મુકો.
જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી
સમગ્ર મામલા ને આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લેતા તાત્કાલિક અસરથી સાંપા પીએચસીના બેદરકારી દાખવનાર MPHWને ફરજ મોકૂફ કર્યા છે. કેટલાક આરોગ્ય કર્મીઓને નોટિસો પણ અપાઈ છે. ત્યારે બાકીના જે પણ કર્મચારીઓ કે અધિકારીઓ આ ગંભીર બેદરકારીમાં જવાબદાર હશે. તે તમામ સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા ની ખાતરી જિલ્લા વિકાસ અધિકારી આપી રહ્યા છે.