ગુજરાતમાં સિંહોની વસ્તીમાં 28.87 ટકાનો વધારો નોંધાયો છે. પૂનમ અવલોકન દરમિયાન જંગલમાં 674 સિંહ જોવા મળ્યા છે. કોરોના મહામારી વચ્ચે સિંહોની સત્તાવાર ગણતરી સંભવ નથી. જેના કારણે વન વિભાગે પૂનમ અવલોકનના આધારે આંકડા જાહેર કર્યા છે. 2020માં ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધી છે. આ અંગે પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કરીને ગુજરાતના પ્રયાસોને બિરદાવ્યા છે.
ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારાનો મામલો
પૂનમની રાત્રીની ગણતરીમાં અંદાજિત સંખ્યા સામે આવી
ગુજરાતના એશિયાટિક સિંહોની વસ્તી વધી: PM
ગુજરાત ગીરની ઓળખ સમા સિંહની વાત કરીએ તો રાજ્યમાં સિહની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020માં સિંહની સંખ્યા હાલ 674 સુધી પહોંચી છે. સિંહની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો છે. દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2015માં થેયલી વસ્તી ગણતરી મુજબ ગીરના જંગલમાં કુલ 523 સિંહ હતા જે આંકડો વધીને હવે 674એ પહોંચ્યો છે. જો કે આંકડા 5 જૂન પૂનમની રાત્રે થયેલી ગણતરીના અંદાજીત આંકડા છે. સિંહોની વસ્તી ગણતરીના કાર્યમાં 1400 જેટલા વનકર્મીઓ જોડાયા હતા. વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે.
PM મોદીએ ગુજરાતના પ્રયાસોને બિરદાવ્યા
ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારાનો મામલો PM મોદીએ ટ્વીટ કરીને ગુજરાતના પ્રયાસોને બિરદાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતના એશિયાટિક સિંહોની વસ્તી વધી છે. ગીર જંગલમાં એશિયાટિક સિંહો વસ્તી લગભગ 29% વધી છે. ભૌગોલિક રીતે,વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો થયો છે. સિંહોની સંખ્યા, ભૌગૌલિક, વિતરણ ક્ષેત્રમાં વધારાના વખાણ કર્યા છે.
Two very good news:
Population of the majestic Asiatic Lion, living in Gujarat’s Gir Forest, is up by almost 29%.
જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે. જ્યારે 22 વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે.