આજરોજ વહેલી સવારે આવેલા ગુજરાતભરમાં 11 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે LPG, CNG અને PNG નો પુરવઠો બંધ રહેવાના સમાચાર એક અફવા હોવાનું સામે આવ્યું છે. જો કે હવે સામે આવ્યું છે કે દહેજમાં મેઇન્ટેનન્સના કારણે ગુજરાતભરમાં PNG બંધ નહીં થાય, પરંતુ ચરોતર વિસ્તારમાં અસર થશે.
રાજ્યભરમાં 11 જાન્યુઆરીએ ગેસ સપ્લાય બંધ રહેશે નહીં
દહેજમાં ગેસ પાઈપલાઈનનું કરવામાં આવશે સમારકામ
ચરોતરમાં જોવા મળશે અસર
ગુજરાતમાં હાલ મોટા શહેરમાં સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા હતી જેને લઇને હવે ખુલાસો સામે આવી ગયો છે.
દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી ચરોતર વિસ્તારમાં ગેસ પુરવઠા પર અસર જોવા મળશે. જો કે રાજ્યમાં ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે મજબૂત નેટવર્ક હોવાથી અન્ય જગ્યાએ કોઇ અસર જોવા મળશે નહીં.
આમ રાજ્યભરમાં ગેસ પુરવઠો બંધ રહેવાન એક માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. જેમાં દહેજ ખાતે મેઇન્ટેનન્સના કારણે રાજ્યભરમાં PNG બંધ રાખવામાં નહી આવે.
રાજ્યમાં દહેજ સિવાય અન્ય જગ્યાએ પણ ટર્મિનલ છે, જેના કારણે ઘરેલુ ગેસ પુરવઠો બંધ નહી થાય.
ગુજરાતમાં ગેસ પૂરવઠો બંધ રહેવાની અફવા મામલે અદાણી કંપીન તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા જણાવામાં આવ્યું છે કે ગેસ પૂરવઠો ચાલુ રહેશે. ગેસ ડિસ્ટ્રિબ્યૂશનને અસર થશે તેવા અહેવાલ પાય વિહોણા છે. આમ ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની માત્ર અફવા છે.