ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ સટ્ટાબજાર ગરમ થઈ ગયું છે. આ નામો પર લાખો રૂપિયાનો સટ્ટો ખેલાયો હતો.
ગુજરાત ના રાજકારણ ને લઈ સટ્ટાબજાર ગરમ થઈ ગયું છે. લાંબા સમયે આટળી મોટી રાજ્કીય ઉથલ પાથલ વચ્ચે ડબ્બો શરૂ થઈ ગયો છે. બુકીબજાર ના મતે મુખ્ય મંત્રી માં નીતિન પટેલ નું નામ આગળ છે. આ ઉપરાંત નીતિન પટેલ ઉપરાંત મનસુખ માંડવીયા ગોરધનભાઈ ઝડફીયાના નામો પણ ચર્ચામાં છે.
60હજાર થી પાંચ લાખ નૉ સટ્ટા ના ડબ્બા બૂક
આ ચાર થી પાંચ નમો અથવા કોઇ નવુ નામ આવે તેના પર 60 હજાર થી પાંચ લાખ નૉ સટ્ટા ના ડબ્બા બૂક થઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે કોઈ પણ ખેલી નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે અને સટ્ટો બૂક કરે તેટલી જ રકમ સીધી હાર કે જીત ને ડબ્બો કહેવાય છે
આ નામો પણ ચર્ચામાં
શંકર ચૌધરી ભીખુભાઈ દલખાણીયા સી આર પાટીલ આર સી ફ્લદુ પુરુષોતમ રૂપાલા ના નમો સટ્ટાબજાર ના ડબ્બા માં હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહ્લાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવે છે.
આજે બંને નિરીક્ષકો અમદાવાદ આવશે. ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે ત્યારે આ બેઠક બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે CMના નામની જાહેરાત કરશે.
બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પદ પરથી રાજીનામું આપ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ કેબીનેટ રિ-સફલીંગના મોટા સમાચાર આવી ગયા છે.ભાજપમાં મુખ્યમંત્રી કોણ બનશે એ બહુધા નક્કી જ છે કેટલીક ઔપચારિકતા પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે રાત્રે અમદાવાદ આવવાના હોવાની ચર્ચાએ જોર પકડયું હતું પરંતુ કદાચ દિલ્હીમાં ભારે વરસાદના કારણે તેઓ આવી શક્ય ન્હોતા. રવિવારે બપોરે ધારાસભ્ય દળની બેઠક મળશે અને ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ પર સહમતી આપશે. આ વચ્ચે,મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે. રાજ્યના છ જેટલા મંત્રીની કામગીરી અસરકારક ના હોવાની વાત સામે આવી છે એટલે 6 કે તેથી વધુ મંત્રીઓની ખુરશી જોખમાવાની શક્યાતાને નકારી શકાય નહિ.
આ નામોની ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ તેમના અનુગામી તરીકે કોણ આવશે ગુજરાતની ગાદીએ તેની ચર્ચા ચકડોળે ચઢી છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં એક સિવાય બધા જ પાટીદાર સમુદાયના છે. વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતા પહેલા ,નીતિન પટેલનું નામ સૌથી આગળ હતું. નીતિનભાઈ પોતાના કાર્યાલયથી કમલમ પહોચ્યા ત્યાં સુધી,નીતિન પટેલ જ મુખ્યમંત્રી છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.પરંતુ અમિત શાહ સાથેની બેઠક બાદ, વિજય રુપાણીનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહાર આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં જેમના નામ ચર્ચાતા હોય છે તેઓ મોટા ભાગે પદ પામતા નથી હોતા તે સર્વ વિદિત છે.પણ આ વખતે આવું ના પણ થાય.અને એવું પણ બને કે ચર્ચાતા નામ સિવાય અન્ય કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.આ પણ નામ ક્યારેય,ક્યાંય ચર્ચામાં નહોતા.એટલે જરૂરી નથી કે, જે નામ ચર્ચામાં હોય તે મુખ્યમંત્રી બની જાય.આમ છતાં કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામ વિજય રૂપાણીના અનુગામી તરીકે ચર્ચામાં છે.