આજે 1લી મેના ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે પીએમ મોદીથી લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યની જનતાને સ્થાપના દિવસને લઇને શુભકામના પાઠવી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગુજરાત સ્થાપના દિવસને લઇને રાજ્યની જનતાને શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ટ્વિટ કરી આ અંગે જણાવ્યું છે. ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.
ત્યારે અહેમદ પટેલે લખ્યું છે કે આ આફતને ઉત્સવમાં બદલી સફળતાઓ ઉભી કરવાનો જ્વલંત ઇતિહાસ આપણો છે. આપણે રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની કટોકટીમાંથી બહાર આવીશું. આપણે હાલની કટોકટીમાંથી પણ સવાયા બની બહાર આવીશું. અહેમદ પટેલે ટ્વિટમાં છેલ્લે 'જય જય ગરવી ગુજરાત' લખીને જનતાને શુભકામના પાઠવી.
આફતને ઉત્સવમાં બદલી તેમાંથી વધુ સફળતાઓ ઊભી કરવાનો આપણો જ્વલંત ઈતિહાસ છે અને મને ખાત્રી છે કે આપણે હાલની કટોકટીમાં થી પણ સવાયા બની બહાર આવીશું
કોંગ્રેસે પણ ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યના નાગરિકોને સ્થાપના દિવસને લઇને શુભકામના પાઠવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આજે આપણું ગુજરાત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે.
આજે સૌ સાથે મળીને નિર્ધાર કરીએ. સરકાર હોય કે સામાન્ય નાગરિક બધા સાથે મળીને જેની જે ફરજ છે, કર્તવ્યનું નિષ્ઠા પૂર્વક પાલન કરીને કોરોના સામેની લડાઇ લડીએ અને તેમાં સફળ થઇએ. આ લડાઇમાં આપણે સફળ થઇએ.