આજે 1લી મેના દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. આજરોજ 1 મે 1960ના દિવસે બોમ્બેના ભાગલા પડ્યા હતા જેમાંથી બે રાજ્ય બન્યા હતા. જેમાં એક ગુજરાત અને બીજુ મહારાષ્ટ્ર રાજ્ય બન્યું હતું. આમ 1લી મેના દિવસને ગુજરાત દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના સ્થાપના દિવસને લઇને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસને લઇને એક વીડિયો ટ્વિટ કરી ત્રણ સંકલ્પ કર્યાં છે. આ સાથે આજરોજ આંતરરાષ્ટ્રિય મજૂર દિવસ હોય ત્યારે આ દિવસ ભારતભરના શ્રમિકોને સમર્પિત કરાયો હોવાથી મજૂર દિવસ અથવા શ્રમિક દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત સ્થાપના દિવસે CM રૂપાણીએ કર્યા 3 સંકલ્પ
માસ્ક વિના બહાર ન નીકળવાનો સંકલ્પ
સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો સંકલ્પ
વારંવાર સાબુથી હાથ ધોઇશ-સેનેટાઇઝ કરીશ
આજે ગુજરાત સ્થાપના દિવસ છે. જો કે એક તરફ ગુજરાતમાં કોરોનાને કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે ટ્વીટ કરી કોરોના મહામારી સામેની લડાઇને લઇને ત્રણ સંકલ્પ કર્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા માસ્ક વિના બહાર ન નીકળવાનો પહેલો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો પણ સંકલ્પ કર્યો છે. તેમજ લોકો વચ્ચે 2 ગજનું અંતર રાખી સંકલ્પનું પાલન કરવા જણાવામાં આવ્યું છે. તેમજ કોરોનાને લઇને વારંવાર સાબુથી હાથ ધોઇશ-સેનેટાઇઝ કરવાનો સંકલ્પ કર્યો છે.
વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ!
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસને લઇને ગુજરાતીઓને ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ગુજરાતી પ્રજાના વખાણ કરતાં કહ્યું કે ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ગુજરાતીઓએ ઘણા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સિદ્ધિઓના નવા શિખરો સર કરે તેવી મનોકામના કરુ છું. આ સાથે પીએમ મોદીએ ટ્વિટમાં છેલ્લે 'જય જય ગરવી ગુજરાત' લખ્યું છે.