ગુજરાતના માજી ધારાસભ્ય દોલત દેસાઈનું ગઈકાલ રાતે અવસાન થયુ હતુ ત્યારે આજે તેમની વલસાડ ખાતે અંતિમયાત્રા છે અને આવતી કાલે બેસણું. સીએમ રૂપાણીએ પણ આ દોલત દેસાઈને શ્રદ્ધાજંલિ આપી હતી.
રાજ્યના માજી ધારાસભ્ય અન સ્પીકર દોલતભાઈ દેસાઈનું શનિવારે રાત્રે સુરત ખાતે અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે વર્ષો સુધી લોકોની સેવા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે અંતિમયાત્રા
તેમની અંતિમયાત્રા રવિવારે તેમના નિવાસ્થાન વાઘલધરા ખાતેથી સવારે 10 વાગે નીકળી વલસાડ જશે.
સોમવારે બેસણું
તેમનું બેસણું સોમવારે મોઘાભાઈ હોલ વલસાડ ખાતે બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. દોલતભાઈ દેસાઈએ વલસાડની જનતાની વર્ષો સુધી સેવા કરી છે. ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
સીએમ રૂપાણીએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ આગેવાન અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી દોલતભાઈ દેસાઈના અવસાનથી ભાજપે એક મોભી ગુમાવ્યા છે. વલસાડની જનતાની વર્ષો સુધી સેવા કરનાર દોલતકાકાના કાર્યોને લોકો હરહંમેશ યાદ રાખશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ...!!!