ઉમરગામના અનેક વિસ્તારોમાં 9 ઇંચથી પણ વધારે વરસાદ થવાથી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. વરસાદની સૌથી વધુ અસર તાલુકા પંચાયત પાસે આવેલા રોહિતવાસ વિસ્તારમાં જોવા મળી છે. અહીં રસ્તાઓ પર કમરસુધી પાણી ભરાયા છે. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વિસ્તારમાં ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ હતી.
તો ઉમરગામ પાલિકા દ્વારા બુલ્ડોઝરની મદદથી વરસાદી પાણીનું અડચણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી તેમજ ગટરના ઢાંકણા ખોલી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2019
ઉલ્લેખનીય છે કે, આ તરફ સેલવાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને પગલે દમણગંગા નદીમાં નવા નીર આવ્યા છે. સેલવાસ પાસે વહેતી દમણગંગા નદી બે કાંઠે વહી છે. જેથી નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. કૈલાશરોડ પર આવેલા રેલવેનું ગરનાળું પાણીમાં ગરકાવ થયુ છે તેમજ વાહનવ્યવહારને પણ અસર થઈ છે. દાણા બજારના રસ્તામાં પાણી ભરાતા વેપાર ધંધાને અસર થઈ છે. વાપીમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2019
જેથી વાપીના ગુરુકુલ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે. વાપીમાં હજુ પણ વરસાદ યથાવત છે. તો આ તરફ છારવાડા રોડની કેટલીક સોસયટીમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.