મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. 400થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાત ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે જયારે 106થી વધુને એલર્ટ અપાયુ છે. 65થી વધુ ગામો સાથેનો સંપર્ક તુટી ગયો છે.
કડાણા ડેમમાંથી 6 લાખ 81 હજાર 363 ક્યુસેક પાણી છોડાયુ
65થી વધુ ગામો સાથેનો સંપર્ક તુટી ગયો છે
વડોદરા, પાદરા, ડેસર અને સાવલીના ગામોને એલર્ટ
કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા 6 લાખ ક્યૂસેક પાણીને કારણે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મહીસાગર જિલ્લાના 106 ગામો એલર્ટ પર છે અને 65 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.
વડોદરા જિલ્લામાં 3 પૂલ ડુબ્યા 6 ગામ એલર્ટ પર
વડોદરા જિલ્લાના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર નદી ગાંડીતુર બનતા 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 3 પૂલ ડુબી ગયા છે. છોટાઉદેપુર પથંકમાં 4 ઇંચ વરસાદને પગલે ઓરસંગ પણ ગાંડીતૂર બનીને વહી રહી છે.
મહીસાગર નદી ભયજનક સપાટીથી 1.60 મીટર ઉપર વહી રહી છે. હાલ કડાણા ડેમમાંથી 6 લાખ 81 હજાર 363 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જ્યારે વડોદરા, પાદરા, ડેસર અને સાવલીના ગામોને એલર્ટ કરાયા છે. નદી કાંઠાના કુલ 106 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે.
વહીવટી તંત્ર સાબદુ બન્યુ
મહીસાગર જિલ્લામાં ચોવીસ કલાકમાં 16 ઇંચ વરસાદ વરસતા અને કડાણ ડેમના ઉપરવાસમાં આવેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માં પડી રહેલ ભારે વરસાદ ને કારણે ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમ, સોમ કમલા ડેમ અને ઝાંખમ ડેમ માંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં પાણીની આવક 4 લાખ 31 હઝાર 885 ક્યુસેક થઈ છે અને ડેમનું જળ સ્તર 416.00 ફૂટ નોંધાયું છે ડેમમાં આવક વધતા કડાણા ડેમના 15 ગેટ 18 ફૂટ ખોલી 4 લાખ 34 હઝાર 855 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહીનદીમાં ઘોડાપૂર આવ્યું છે જેના લીધે મહીસાગર જિલ્લાનું વહીવટી તત્ર સાબદુ બન્યું છે
તંત્ર લાગ્યુ બચાવ કામગીરીમાં
મહીસાગર જિલ્લા કલેકટર આર બી બારડ ની સૂચના અનુસાર લુણાવાડા પ્રાંત અધિકારી , મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓની એક ટિમ રાબડીયા પહોંચી હતી જ્યાં રાબડીયાના ખલાસા ફળિયું-એક અને ખલાસા ફળિયા-બે વિસ્તારના પાંત્રીસ જેટલા અસરગ્રસ્તોને રાબડીયા ગામમાં ઉંચાઈ પર આવેલ માજી સરપંચ મફતભાઈ પટેલના ઘરે સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે રહેવા તથા જમવાની સુવિધાઓ કરવામાં આવી છે
મહીસાગરમાં કડાણા તાલુકાના 27 ગામોમાં હાઈ એલર્ટ
મહી નદી માં પાણી છોડવામાં આવતા લુણાવાડા તાલુકાના 3 ગામ, ખાનપુર તાલુકાના 5 ગામ અને કડાણા તાલુકાના 27 ગામ એમ કુલ 35 ગામને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ આપી દેવાયા છે. મહી નદી પર આવેલ હાડોળ પુલ અને ઘોડિયાર પુલ પાણીમાં ગરકાવ થતા પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વહીવટી તત્ર પણ સાબદુ છે અને નીચાણવાળા વિસ્તારમાં ટીમ સતત કાર્યરત છે
મહીસાગર જિલ્લાના 7 ગામોમાં નદીના પાણી ફરીવળ્યા
મહીસાગર જિલ્લાના 7 જેટલા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. વધુ પાણી છોડતા નદીના પાણી ગામોમાં ઘૂસ્યા હતા. જેમાં રામગલી, બાકરિયા, દલવાઈ, સાવલી, બોરડી અને આસપાસના ગામોમાં પાણી પાણી થઈ ગયા હતા.
નદી પાસે આવેલ અનેક ગામોના ખેતરો માં પાણી ભરાતા નુકશાન
મહીનદીના પાણી 4 જિલ્લાના 43 ગામોમાં ફરી વળ્યા છે જેને લીધે ઉભો પાક પાણીમાં વહી ગયો છે. મહીસાગર નદી કાંઠાના ગામોમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે. ભારે વરસાદ અને ખેતરોમાં પાણી ઘૂસી જવાન કારણએ પાકમાં થયેલા નુકસાનીનો સરવે કરાશે. પાણી ઓસર્યા બાદ સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. સરવેની સમગ્ર કામગીરી જિલ્લા ખેતીવાડી વિભાગને સોંપવામાં આવી છે.