ગુજરાતના માછીમારોની હાલત કફોડી બની છે. લોકડાઉન અને કોરોના મહામારીના માછીમારોની હાલ બેહાલ કરી નાંખ્યા છે. વિદેશોમાંથી પેમેન્ટ અટકતા માછીમારોની આર્થિક સ્થિત કથડી ગઈ છે. બચત તો બધી વપરાઈ ગી અને હવે માછીમારો ગુજરાન ચલાવવા માટે દાગીના વેચવા મજબૂર બન્યા છે.
લોકડાઉન અને કોરોના મહામારીના લીધે માછીમારોની હાલત ખરાબ
વિદેશોમાંથી પેમેન્ટ અટકતા માછીમારો મુશ્કેલીમાં
માછીમારો ગુજરાન ચલાવવા માટે દાગીના વેચવા મજબૂર
24 કલાક થી અવિરત કમોસમી વરસાદ ના કારણે નુકસાન બાદ માછીમારો દ્વારા રાજ્ય સરકાર પાસે મદદ માંગી છે તાકીદે સર્વે કામગીરી કરી માછીમારો ને કરોડો રૂપિયા નું નુકસાન અંગે ખાસ પેકેજ જાહેર કરવા સમગ્ર માછીમારો ની માંગ છે
પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, દીવમાં માછીમારો મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે સી.આર.પાટિલ સહિત 6 સાંસદોને રજૂઆત કરવામાં આવી છે. ડિઝલ વેટ હટાવવા માટે માછીમારો માગ કરી રહ્યાં છે એટલું જ નહીં પરંતુ ડિઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી દૂર કરવાની પણ સાગરખેડૂતોની માંગ છે.
સાગર ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જતા માછીમારોની સ્થિતિ અત્યંત કફોડી
કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લામાં ખેડૂતો કરતા વધુ જાફરાબાદ દરિયા કાંઠે વસતા સાગર ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જતા માછીમારોની સ્થિતિ અત્યંત કફોડી બની છે રાજ્ય સરકાર જાફરાબાદ સહીત આસપાસના દરિયા કાંઠે માછીમારો માં થયેલ નુકસાન અંગે સર્વે કરાવી પેકેજ જાહેર કરે તેવી સમગ્ર માછીમારો ની ઉગ્ર માંગ ઉઠી
સમગ્ર સૌરાષ્ટ્ર માં કમોસમી વરસાદ એ ધરતી પુત્રો પર મોટુ સંકટ ઉભું કરી દીધું
સમગ્ર સૌરાષ્ટ્ર માં કમોસમી વરસાદ એ ધરતી પુત્રો પર મોટુ સંકટ ઉભું કરી દીધું છે પરંતુ અમરેલી જિલ્લા ના જાફરાબાદ દરિયા કાંઠે વસતા માછીમારો ને રાજ્ય સરકાર એ ખેડૂતો સાથે સાગર ખેડૂતો માં લીધા હતા જયારે આ સાગર ખેડૂતો ની સ્થિતિ આ કમોસમી વરસાદ એ બગાડી દીધી છે અહીં બંદર પર 700 ઉપરાંત ની બોટો માછીમારો ધરાવે છે અહીં માછીમારી કરી દરિયા કિનારે બંદર પર માછીમારી કરી સુકવી દેતા હોય છે પરંતુ અહીં સૂકવેલી મછી પર 24 કલાક કમોસમી વરસાદ ખાબકતા અહીં અહીં માછીમારો એ દરિયો ખેડી પોતાની રોજીરોટી ઉભી કરી હતી પરંતુ આ રોજીરોટી પર કુદરત એ આપેલ કમોસમી વરસાદ થી હાલ તો આ માછીમારો ની સ્થિતિ અત્યંત કફોડી બની છે
રાજ્ય સરકાર પાસે માછીમારોએ સહાય ની મદદ માંગી
પરંતુ અહીં આ માછીમારોને કોરોના લોકડાઉન સમયથી નુકસાન અને તાજેતરમાં કેટલાક વાવઝોડાના કારણે પણ નુકસાન હતું તેવા સમયે કમોસમી વરસાદ ખાબકતા પડ્યા પર પાટુ વાગવા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અહીં માછીમારો કહી રહ્યા છે ખેડૂતોને સહાય મળે છે પરંતુ સરકાર દ્વારા માછીમારોને કેમ સહાય નહીં તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા સાથે સાથે અહીં માછીમારોના જણાવ્યા પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન માછીમારોને ગયું છે ત્યારે રાજ્ય સરકાર પાસે માછીમારોએ સહાય ની મદદ માંગી છે
કોઈ સહાય મળતી નથી ત્યારે જાફરાબાદ ના ધારાસભ્ય દ્વારા અંગે સરકાર ને રજુઆત કરાઈ
જાફરાબાદ શિયાળબેટ સહીત દરિયા કાંઠે મોટા પ્રમાણ માં માછીમારોનો અહીં વસવાટ છે અહીં માછીમારોનો મુખ્ય ધન્ધો માછીમારી કરવાનો છે અહીં માછીમારી કરી મધ દરિયેથી મછી દરિયા કિનારે સૂકવે છે ત્યાર બાદ મછી અહીં થી માર્કેટ માં જતી હોય છે ત્યારે અહીં તે પહેલા કમોસમી વરસાદ થી મછી બગડી જાય ત્યાર બાદ આ મછી માછીમારો ને ના છૂટકે ફેંકી દેવી પડે છે અને તેવા સમયે મહત્વ ની વાત એ છે અહીં થી આ બગડેલી મછી ફેંકવા માટે પણ વાહનો અને મજૂરી માટે નો ખર્ચ થતો હોય છે તેવા સમયે માછીમારો કરોડો રૂપિયા નું હુંડીયામણ કમાય આપે છે તેમ છતાં રાજ્ય સરકાર માછીમારો ને સહાય નહીં આપતા અહીં ના માછીમાર સમાજ અગ્રણી સહીત ના લોકો માં નારાજગી જોવા મળી રહી છે અહીં માછીમારો દ્વારા અનેક વખત સરકાર માં ભૂતકાળ માં અને અત્યારે ફરીવાર રજૂઆત કરી છે છતા કોઈ સહાય મળતી નથી ત્યારે જાફરાબાદ ના ધારાસભ્ય દ્વારા અંગે સરકાર ને રજુઆત કરાઈ હતી.