ગુજરાતનો એક માછીમાર રાતોરાત કરોડપતિ થઇ જવા પામ્યો છે. તમને જાણીને એમ પણ થશે કે એવી તો કઈ લોટરી લાગી કે માછીમાર કરોડ પતિ થઇ ગયો. જી હા,ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર પોતાના માછીમારીના વ્યવસાય દરમિયાન એવી દુર્લભ વસ્તુ જાળમાં ફાંસી લાવ્યો કે, આ કઈ વસ્તુ છે એ જાણ્યા પછી તેની પણ ખુશીનો પાર ના રહ્યો.. કરોડપતિ થવા માટે તેને કોઈ ટીવી શોની તૈયારી નથી કરવી પડી.
કહેવાય છે કે, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે.... આવું જ કઈક બન્યું ઉનાના સૈયદ રાજપરા ગામના માછીમાર સાથે.ભીષણ ગરીબી અને માછીમારી દરમિયાન ક્યારેક, ઘરમાં ઈદ અને ક્યારેક રોજા,જેવા દિવસો કાઢતા માછીમાર પરિવાર ના નસીબ આડેથી મોટી શીલા હટી ગઈ. બન્યું એવું કે, નિત્યક્રમ મુજબ જ માછીમાર પોતાન સાધન-સંસાધન સાથે માછીમારી કરવા નીકળ્યો . પાછા આવતા જાળમાં અંદાજે 2 હજાર જેટલી માછલીઓ પકડાતા ખુશ થઇ ગયો. જ્યારે,નાવ લાંગરીને માછલીની જાતની ખરાઈ કરી ત્યારે તેનાઅચમ્બાનો પાર ના રહ્યો.કારણકે,તેની જાળમાં જે માછલીઓ આવી હતી તે કોઈ સામાન્ય પ્રજાતિની માછલીઓ નહોતી.આ ધોલ પ્રજાતિની માછલી હતી. જે એક કિલો માછલીની કિમત અંદાજે 5 હજાર રૂપિયા થાય છે.
ધોલ માછલીની બજારમાં ખુબ ઉંચી કિમત છે. જ્યારે માછીમારને આ ખબર પડી ત્યારે તેની ખુશીનો પાર ના રહ્યો,અને તેને અહેસાસ થયો કે હવે દિવસો ફરી ગયા છે. નાના એવા સૈયદ રાજપરામાં માછલીની પ્રજાતિ અંગે ખબર પડતા જ ગામ લોકો અને અન્ય માછીમારો એકત્રિત થઇ ગયા હતા. અને માછીમારને અભિનદન આપ્યા હતા.