ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી નું પાકિસ્તાનની જેલમાં મોતના સમાચાર મોતના એક મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું
બે-રહમ પાકિસ્તાન,માછીમારની લાશ મોકલી
માછીમારના મોતના સમાચાર પણ ના આપ્યા
પાક.જેલમાં બંધક માછીમારો સંપર્ક વિહોણા
ત્રણ વર્ષ પહેલા પાકીસ્તાન જેલમા ગયેલા માછીમાર જીવીત તો ન આવ્યા પરંતૂ તેમના મોતના સમાચાર પણ એક મહિના બાદ મળ્યા. માછીમારો નો આક્રોશ છે કે સરકાર કોઈ પણ હોય પરંતુ મોત નો મલાજો તો જાળવો. પડોધી દેશ પાકિસ્તાને મોતનો મલાજો સુદ્ધ નાં જાળવી, સીધો જ મૃતદેહ મોકલી આપતા સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
ગીર સોમનાથ ના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી નું પાકિસ્તાનની જેલમાં મોતના સમાચાર મોતના એક મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું. આ માછીમાર નું મોત એક મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં થયુ હતું જ્યારે પરીવારજનોએ ફીસરીઝ કચેરીએ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો પોરબંદર ની રસુલ સાગર નામની માછીમારી બોટ માં માછીમારી દરમિયાન ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકીનું અપહરણ કરીને જેલ માં રાખવામાં આવ્યો હતો. ત્યારે આ મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે.
વાઘા બોર્ડરે થી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહ ને લાવીને વેરાવળના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. અને બાદ લાશ તેમના પરીવાર ને સૉપવામા આવશે મહામારી પહેલા પાકીસ્તાન જેલમાથી માછીમારોના પરીવારજનોને પત્ર વ્યહવાર થી તેમજ કયારેક જરૂરી સમયે ફોનથી પણ પરીવારજનો વાતચીત અને ખબર અંતર જાણતા હતા.પરંતૂ હવે પત્ર વ્યવહાર અને ફોન પણ બંધ થયા છે.જેથો 500 થી વધૂ માછીમારો જે પાકીસ્તાન જેલ મા છૈ તેમના પરીવારૉ પણ ચીંતીત બન્યા છે