નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઇને મહત્વનો નિર્દેશ કર્યું છે. NGTએ જણાવ્યું છે કે તમામ રાજ્યો કોરોના મહામારીને લઇને હવાનું પ્રદુષણ માપી લે. NGTના આ આદેશને લઇને ગુજરાતના ડે. સીએમ નીતિન પટેલેનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે રાજ્ય સરકાર ચુકાદાનો અભ્યાસ કરી રહી છે.
ગુજરાતમાં ફટાકડા ફોડવાને NGTની નોટિસ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે રાજ્ય સરકાર ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. જે શહેરોમાં પ્રદૂષણ વધારે છે તેના માટે ચુકાદો આશે.
ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઇને મહત્વનો નિર્દેશ જાહેર કર્યો છે. NGTએ જણાવ્યું છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે NCRમાં આજ રાત્રીથી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યો છે. જ્યારે દિલ્હી અને રાજસ્થાનમાં અગાથી જ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રદૂષણનો તાગ મેળવવો જરુરી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ પછી ગુજરાતમાં પ્રદૂષણ મામલે ચોક્કસ આંકડા જરુરી છે.
એર ક્વાલિટી ઈન્ડેક્સને સમજો
0 થી 50 AQI હોવાનો મતલબ કે હવા સારી છે અને પ્રદૂષણ નથી
51 થી 100 AQIનો મતલબ કે પ્રદૂષણની સ્થિતિ સામાન્ય છે
51 થી 100 AQI હોય તો સંવેદનશીલ લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ અપાય છે
101 થી 150 AQI કેટલાક લોકો માટે બિનસ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે
51 થી 100 AQI સંવેદનશીલ અથવા બીમાર લોકો માટે ઘાતક માનવામાં આવે છે
151 થી 200 AQI તમામ લોકો માટે ઘાતક છે ચાહે બીમાર હોવ કે ના હોવ
201 થી 500 AQI અતિખતરનાક છે આટલું પ્રદૂષણ સામાન્ય વ્યક્તિ અનુભવી પણ શકે છે
301 થી 500 AQI દરમિયાન સામાન્ય લોકો હાઈરિસ્ક પર કહેવાય છે
હાલ અમદાવાદના સરખેજનો AQI 170 છે
ગાંધીનગરના અડાલજનો AQI 153 છે
અમદાવાદની નજીકના ઈન્ડસ્ટ્રીયલ ઝોન સાણંદનો AQI 170 છે