દેશમાં વીજસંકટને લઈને ચર્ચા છે ત્યારે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ દાવો કર્યો છે કે, ગુજરાત વીજ સંકટમાંથી બાકાત રહી શક્યું છે અને રહેશે.
ગુજરાત 21 હજાર મેગા વોટ વીજળીનો વપરાશ કરે છેઃ કનુ દેસાઈ
2100 યુનિટ નો વપરાશ એક વર્ષમા 1 વ્યક્તિ કરે છેઃ કનુ દેસાઈ
વીજ સમસ્યા હલ કરવા નાગરિકોનો મહત્વનો ફાળો આપ્યોઃ કનુ દેસાઈ
પાલનપુરમાં વીજ કંપનીના લોકાર્પણમાં ગુજરાતના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ગુજરાતનો અત્યારનો વીજળી વપરાશ 21 હજાર મેગા વોટ થયો છે. આપણી જે ક્ષમતા 40 હજાર મેગા વોટ કરતા પણ વધારે છે. પરંતુ જે સોલાર પાવરની મર્યાદા હોય છે. યૂક્રેન યુદ્ધના કારણે તમામ ગેસ પાવર પ્લાન્ટ સમગ્ર દેશમાં બંધ થયા છે. આખા દેશમાં આપણુ રાજ્ય જ એવું છે જેમણે વીજ કટોકટીનો સામનો નથી કર્યો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વિજળી મળી છે. આપણા ગુજરાતનો સરેરાશ વપરાશ પર હેડ વાર્ષિક વ્યક્તિ દીઠ 2100 યુનિટ છે. જ્યારે સમગ્ર દેશમાં યુનિટ દીઠ વ્યક્તિ દીઠ વપરાશ 1100 યુનિટ છે. આટલો મોટો ડિફરન્સ છે જે બતાવે છે કે આખા દેશમાં આપણુ રાજ્ય પ્રથમ હરોળનું રાજ્ય છે.
UGVCL દ્વારા કુલ રૂ. ૬૫૦.૪૫ લાખના ખર્ચે પાલનપુર ખાતે નિર્મિત વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી તથા ડીસા ખાતે વિભાગીય કચેરી અને સ્ટોરેજ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. pic.twitter.com/kRRsMwqSey
કનુ દેસાઇએ વધુમાં કહ્યું કે, ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં એક પણ વીજ જોડાણ નહીં રહે બાકી. વીજ સમસ્યા હલ કરવા નાગરિકોનો ફાળો મહત્વનો હોય છે.
કનુ દેસાઈ અગાઉ પણ આશ્વાસન આપી ચૂક્યા છે કે, રાજ્યમાં વીજસંકટ ઉભું નહીં થાય. કેન્દ્રના સહકારથી રાજ્ય સરકાર એવા પૂરતા પ્રયાસ કરી રહી છે કે જેથી વીજળીની અછત રાજ્યમાં ન વર્તાય. અદ્યતન કચેરીઓ દ્વારા ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પહોંચાડવા સરકાર અવિરતપણે કટીબદ્ધ છે.
કનુ દેસાઈએ પાલનપુરમાં UGVCL દ્વારા કુલ રૂ. ૬૫૦.૪૫ લાખના ખર્ચે તૈયાર થયેલા વર્તુળ કચેરી, વિભાગીય કચેરી, ડીસા ખાતે વિભાગીય કચેરી અને સ્ટોરેજ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું.