હાલ કોરોનાને કહેર ચાલી રહ્યો છે તેમાંય દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવાનું ચાલુ રહેશે. વધુ 10 દિવસ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા, ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે.